________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રશમરતિ જાગી ગઈ છે, તે કલાકાર ન બને? શું પ્રાચીન મંદિરો હોય એટલે કોઈ નવું મંદિર ન બનાવે?
પ્રાચીન ગ્રંથો હોય એટલે નવા ગ્રંથનું સર્જન ન કરવું? જો ગ્રંથરચના દ્વારા કર્મનિર્જરા થવાની ન હોય, જ્ઞાનાદિગુણોનો વિકાસ થવાનો ન હોય, મોક્ષમાર્ગની આરાધનામાં પ્રગતિ થવાની ન હોય તો તો ગ્રંથરચના ન જ કરવી જોઈએ, પરંતુ જે શાસ્ત્રરચના દ્વારા સર્વતોમુખી આત્મોન્નતિ થવાની જ હોય, તે શાસ્ત્રરચના કેમ ન કરવી? અર્થાત્ કરવી જ જોઈએ. અનેક પ્રકારની શાસ્ત્રરચનાઓ કરવી જોઈએ.
નિર્ભય રહો. એ શાસ્ત્રરચના કરવાથી તમે તીર્થકરોનું કે ગણધરોનું અપમાન નથી કરતા. એ શાસ્ત્રરચના કરવાથી પ્રાચીન ગ્રંથોનું ગૌરવ નથી હણતા. એ શાસ્ત્રરચના કરવાથી તમે પાપકર્મોનું બંધન નથી કરતા. એ શાસ્ત્રરચના દ્વારા તમે આત્મગુણોને દુર્બળ નથી કરતા.
જિનવચનનું પુનઃ પુનઃ અનેક પ્રકારે અનુકીર્તન કરવું જોઈએ. તે કરવાથી આત્મભાવ પુષ્ટ જ થાય છે.
પુનરુક્તિ દોષરૂપ નથી यद्वदुपयुक्तपूर्वमपि भैषजं सेव्यतेऽत्तिनाशाय | तद्वद्रागार्तिहरं वहुशोऽप्यनुयोज्यमर्थपदम् ।।१३।।
यद्वद्विषघातार्थ मंत्रपदे न पुनरुक्तदोषोऽस्ति। तद्वद्रागविपध्नं पुनरूक्तमदुष्टमर्थपदम् ।।१४।। वृत्त्यर्थं कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते ।
एवं विरागवातहितुरपि पुनः पुनश्चिन्त्यः ।।१५।। અર્થ : જેવી રીતે વિશ્વાસપ્રાપ્ત ઔષધ, વ્યાધિકૃત વંદનાના નાશ માટે પ્રતિદિન સેવાય છે, તેવી રીતે રાગદ્વેપથી બાંધેલાં કમોંના ઉદય દ્વારા થતી તીવ્ર-મંદ-મધ્યમ વંદનાના અપહાર (નાશ) કરનાર અનેક પ્રકારે અર્થપ્રધાન પદ પણ બોલવું જોઈએ ૧૩)
જેવી રીતે વૃશ્ચિકાદિના ઝેરને ઉતારવા માટે મંત્રવાદી કાર આદિ મંત્રપદોને પુનઃ પુનઃ બોલ છે, તેમાં પુનરુક્તિ (વારંવાર અને એ બોલવું, દોષ નથી, તેવી રીતે રાગ-વિનાશક અર્થપદનું અનેકવાર બોલવું દોષરહિત છે : (અર્થાતું ‘પુનરુક્તિ' દોષ નથી.) [૧૪]
For Private And Personal Use Only