________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનરુક્તિ દોષરૂપ નથી
જેવી રીતે પોતાના કે કુટુંબના પોષણ માટે, સમુચિત ધનધાન્યવાળા પણ મનુષ્ય પ્રતિવર્ષ ખેતી વગર કામ વારંવાર કરે છે તેવી રીતે વૈરાગ્યવાર્તાનાં કારણોનો પણ પુનઃ પુનઃ અભ્યાસ કરવો જોઈએ. (૧૫|
વિવેત્તર : એકની એક વાત વારંવાર કહેવી, એકની એક વાત પુનઃ પુનઃ લખવી તેમાં ‘પુનરુક્તિ' નામનો દોષ માનવામાં આવેલા છે, વક્તાઓએ અને ગ્રંથકર્તાઓએ એ દોષથી બચવું જોઈએ. નિર્દોષ ગ્રંથ રચના માટે આ દોષનો પણ ત્યાગ કરવો જોઈએ.
પ્રશમરતિ ની રચના આ ‘પુનરુક્તિ દોષવાળી છે, એવી કલ્પના કરવાની ગ્રંથકાર ના પાડે છે. દેખીતી પુનરુક્તિ પણ વાસ્તવમાં દોષ નથી! પૂર્વ મહર્ષિઓએ કહેલી અને લખેલી વાતોને પુનઃ અહીં લખવામાં આવી છે, છતાં આ પુનરુક્તિ અહીં દોપરૂપ નથી!
‘પુનરુક્તિદોષ' એવો દોષ નથી કે જે સર્વત્ર એકાંત દોષરૂપ જ હોય, ક્યાંક એ ગુણરૂપ પણ છે! પુનરુક્તિની ગુણરૂપતા સિદ્ધ કરવા ગ્રંથકાર અહીં અકાઢ્ય તર્ક આપે છે, સુંદર ઉદાહરણ આપે છે.
પધનું સેવન! દવાઓનું સેવન તમે વ્યાધિથી. રોગથી પીડાઈ રહ્યા છો, ઘોર વેદના અનુભવી રહ્યા છો, એ વેદનાથી મુક્ત થવા, નીરોગી બનવા તમે તલસી રહ્યા છો, વૈદ્યને બોલાવ્યા, ડૉક્ટરને બોલાવ્યા. તેમણે તમને તપાસ્યા, રોગનું નિદાન કર્યું અને દવાઓ લખી આપી; અને કહ્યું : આ લખી આપેલી ગોળીઓ રોજ દિવસમાં પાંચ વખત લેજો અને ત્રીસ દિવસ સુધી લેતા રહેજો, રોગ ચાલ્યો જશે. ત્યાં તમે ડોક્ટરને કહેશો કે -
“ડૉક્ટ૨, તમારી વાત સાચી પરંતુ એની એ દવા રોજ વારંવાર લેવામાં તો ‘પુનતિ ' દોષ લાગે છે, માટે હું દવા નહીં લઉં!'
અરે, એ વખતે.... એવી ઘોર વેદનાના વખતે તમને ‘પુનરુક્તિ' દોષ યાદ ન આવે! એ વખતે તો ગમે તે ઉપાયે મારી વેદના શમવી જોઈએ;' એ જ વિચાર હોય છે, તે માટે એકની એક દવા મહિનાઓ સુધી સતત સેવવી પડે તો સેવવાની તૈયારી રાખવી પડે છે! અને સંસાર સેવી રહ્યા છે!
તેવી રીતે, રોગનો ભયંકર વ્યાધિ, કંપનો વિકરાળ રોગ... જે જીવાત્માઓને અનંતઅપાર વંદનાઓ આપી રહ્યો છે, જીવાત્માઓ ઘોર વેદનાઓમાં તરફડી રહ્યા
For Private And Personal Use Only