________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
પ્રશમરતિ વિવૈદ્યન : કોઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન, તે “પારિમિક ભાવ' છે.
ધર્મ-અધર્મ-આકાશ અને કાળ આ ચાર દ્રવ્યો સ્વતંત્ર છે. કોઈ દ્રવ્યની એક-બીજા પર કોઈ અસર નથી. જેમ આત્મદ્રવ્ય પર પુદ્ગલ દ્રવ્યની અસર હોય છે તેમ આ ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો પર પુદ્ગલ દ્રવ્યની કે આત્મ-દ્રવ્યની અસર નથી હોતી. આ ચાર ભાવ પારિણામિક ભાવમાં વર્તતા હોય છે.
જેમ સંસાર અનાદિ છે તેમ આ દ્રવ્યો અનાદિ છે. પરિણામિક ભાવ અનાદિ હોય છે. જેમ જીવત્વ, દ્રવ્યત્વ વગેરે અનાદિ છે તેમ આ દ્રવ્યો અનાદિ છે. એવો કોઈ કાળ નહોતો કે જ્યારે આ દ્રવ્યો સંસારમાં ન હોય એવો કોઈ કાળ ભવિષ્યમાં નહીં હોય કે જ્યારે આ દ્રવ્યોનું અસ્તિત્વ ન હોય.
-પુગલ દ્રવ્ય બે ભાવમાં વર્તે છે. પરિણામિક અને દયિક, -પરમાણુ પરમાણુરૂપે અનાદિ પરિણામિક ભાવમાં હોય છે.
પરમાણુઓ અને સ્કંધોમાં જે રૂપ-રસ આદિ પર્યાયો રહેલા છે અને દ્વાણુક... ચણક, વગેરે જે પરિણામ બને છે. પરમાણુઓના મળવાથી, તે ઔદયિક ભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે અનાદિ અપરાવર્તનીય ભાવો છે તેને પરિણામિક ભાવમાં સમજવા જોઈએ અને જે પરિવર્તનશીલ-આદિ પરિણામો છે તેને ઔદયિક ભાવમાં સમજવા જોઈએ.
પ્રશ્ન: પરમાણમાં અને સ્કંધોમાં જે રૂપ-રસાદિ છે તે શું અનાદિ નથી? તો પછી તેને ઔયિક ભાવમાં કેમ કહ્યાં?
ઉત્તર : અલબત્ત, રૂપ-રસાદિ અનાદિ છે, પરન્તુ એમાં જે હાનિ-વૃદ્ધિરૂપ આદિ થાય છે તે અપેક્ષાએ તેનો સમાવેશ ઔદયિક ભાવમાં કર્યો છે.
પ્રશ્ન : પુદ્ગલ સ્કંધો તો અનાદિ છે તો પછી તેનો સમાવેશ આંદયિક ભાવમાં શાથી કયો?
ઉત્તર : પુગલ-સ્કંધોનું સ્વરૂપ એકસરખું નથી રહેતું. કંધોમાં પગલોની વધઘટ થયા કરતી હોય છે. માટે તે આદિ પણ છે! દા.ત., એક ચાર પરમાણુઓનો સ્કંધ છે, તેમાંથી બે પરમાણુ છૂટા પડી ગયા તો તે સ્કંધ ધયણુક બની ગયો! આનું નામ “આદિ.' એવી રીતે કોઈ સ્કંધમાં નવા પરમાણુઓ જોડાય તો તે સ્કંધ મોટો થઈ જાય તે પણ “આદિ’ કહેવાય.
For Private And Personal Use Only