________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવોમાં પદ્રવ્ય
૩૬૫ બે પ્રદેશોનો સ્કંધ (સમૂહ) હોય, ત્રણ પ્રદેશનો સ્કંધ હોય, યાવત્ અસંખ્ય પ્રદેશોનો સ્કંધ હોય અને અનન્ત પ્રદેશોનો પણ સ્કંધ હોય.
એ કંધો સાથે સંલગ્ન ભાગોને ‘દેશ' કહેવાય. એ સ્કંધો સાથે સંલગ્ન નિર્વિભાગ ભાગોને “પ્રદેશ' કહેવાય.
અંધથી જુદા પડેલા નિર્વિભાગ અંશોને પરમાણુ કહેવાય. કેવળજ્ઞાની પણ પોતાના જ્ઞાનમાં પરમાણુનું વિભાજન ન કરી શકે,
પરમાણુના પ્રદેશ નથી હોતા, તેથી તે અપ્રદેશી કહેવાય છે. પરન્તુ પરમાણુમાં પણ રૂપ-રસ-ગંધ અને સ્પર્શ તો હોય જ છે. એટલે, આ રૂપરસાદિ પર્યાયોની અપેક્ષાએ પરમાણુ સંપ્રદેશી કહી શકાય. દ્રવ્ય-દૃષ્ટિએ પરમાણુ અપ્રદેશી છે, પર્યાય-ષ્ટિએ પરમાણુ સંપ્રદેશ છે! આ રીતે રૂપ-રસ-ગંધ અને સ્પર્શને પ્રદેશની સંજ્ઞા મળી છે. જેવી રીતે સ્કંધમાં દેશ-પ્રદેશ રહેલા છે તેવી રીતે પરમાણુમાં રૂપાદિ રહેલાં છે.
પરમાણુમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ રહેલા હોય છે. (સ્નિગ્ધ કે રૂક્ષમાંથી કોઈ એક અને શીત કે ઉષ્ણમાંથી કોઈ એક-એમ બે સ્પર્શ હોય.J. પ્રશ્ન : શું પરમાણુને જોઈ શકાય?
ઉત્તર : અત્યંત સૂક્ષ્મ હોવાથી તે દેખાતો નથી. એના કાર્યથી એને જાણી શકાય છે.
પ્રશનઃ પુદ્ગલ દ્રવ્યના સ્કંધ અને અન્ય દ્રવ્યોના (ધર્માસ્તિકાયાદિના) સ્કંધો વચ્ચે કોઈ તફાવત છે?
ઉત્તર : હા, પુદ્ગલ દ્રવ્યના કંધોમાંથી પ્રદેશો છૂટા પડી શકે છે; જ્યારે અન્ય દ્રવ્યોના સ્કંધોમાંથી પ્રદેશો છૂટા પડી શકતા નથી.
ભાવોમાં પદ્રવ્ય भावे धर्माधर्माम्बरकाला: पारिणामिके ज्ञेयाः ।
उदयपरिणामिरूपं तु सर्वभावानुगा जीवाः ।।२०९ ।। અર્થ : ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ-આ ચાર દ્રવ્ય પારિમિક-ભાવ'માં જાણવા. પગલાસ્તિકાય, દયિક અને પારિણામિક ભાવમાં જીવાને બધા ભાવ હોય છે. ५०. स्कन्धाः द्विप्रदेशिकादयः । देशाः स्कन्धानामेव सविभागाः । प्रदेशाश्च निर्विभागभागाः। - નવતરૂરીયા /T૦ ૬
For Private And Personal Use Only