________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
પ્રશમરતિ બતાવ્યું છે, “પાંચ દ્રવ્યોમાં માત્ર પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. બાકીનાં ચાર દ્રવ્ય અરૂપી છે.
પુદ્ગલદ્રવ્યમાં જેમ રૂપ હોય, તેમ રસ, ગંધ અને સ્પર્શ પણ હોય છે. " જે દ્રવ્યમાં રૂપ હોય તેનામાં રસ-ગંધ-સ્પર્શ હોવાના જ, ચાર ગુણોનો પરસ્પરનો અવિનાભાવ છે. ચારેય પરસ્પર સંકળાયેલા ગુણો છે. પુદ્ગલના પરમાણુમાં પણ આ રૂપાદિ ગુણો હોય છે. પ્રશ્ન : રૂપ અને મૂર્તતામાં તફાવત છે?
ઉત્તર : ના, રૂપ એ જ મૂર્તતા, તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે : રુપે મૂર્તિ. એટલા માટે તત્ત્વાર્થભાષ્યમાં રૂપ સાથે સ્પર્ધાદિની સહચારિતા બતાવતાં કહ્યું છે: મૂર્વાશ્રયા પર્ણોદ્રા: મૂર્તતા હોય તો જ સ્પર્શાદિ હોય.
પુગલ-દ્રવ્ય સિવાયનાં ચાર અજીવ દ્રવ્યો અરૂપી છે અર્થાત્ અમૂર્ત છે; એટલે એ ચાર દ્રવ્યો રૂપ-રસ-ગંધ અને સ્પર્શથી રહિત છે. પ્રશ્ન : અરૂપીને કોઈ પણ ન જોઈ શકે?
ઉત્તર : આ અરૂપી દ્રવ્યો ચક્ષથી ન જોઈ શકાય. ચક્ષુદર્શનની અપેક્ષાએ અરૂપી છે, જ્ઞાનદૃષ્ટિમાં તો અરૂપી પણ રૂપી છે! જ્ઞાનના વિષય તો છે જ, એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષો જોઈ શકે છે.
પાંચ અજીવ દ્રવ્યોમાં રૂપી-અરૂપીન ભેદ બતાવ્યા પછી હવે પુદ્ગલદ્રવ્યના વિષયમાં વિશેષ વાર્તા બતાવે છે.
પુગલ-દ્રવ્ય द्वयादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशका: स्कन्धाः ।
परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ।।२०८।। અર્થ : “બે આદિ પ્રદેશોથી લઈને અનંત પ્રદેશવાળા સ્કંધો હોય છે. પરમાણુ અપ્રદેશ છે (પણ) રૂપાદિ ગુણાની અપેક્ષાએ તે પ્રદેશ છે.
વિવેવન : પુદગલ દ્રવ્ય ચાર પ્રકારે ચૌદ રાજલોકમાં રહેલું છે. સ્કંધ-રૂપે. દેશરૂપે, પ્રદેશરૂપે અને પરમાણુરૂપે. ४६. चक्षुर्ग्रहणमासाद्य रूपमिति व्यपदिश्यते। - तत्त्वार्थ टीकायाम् ४७. यत्र रूपपरिणामः तत्रावश्यन्तया स्पर्शरसगन्धैरपि भाव्यम्। . तत्त्वार्थ-टीकायाम् ४८. संख्येया असंख्येया अनन्ताश्च पुद्गलानां प्रदेशा भवन्ति । - तत्त्वार्थ-भाष्ये/अ.५/सू.१० ४९. पर्यायस्वभावाश्च रूपादयस्तदङ्गीकरणेन सप्रदेशः परमाणुः |-तत्त्वार्थ-टीकायाम्
For Private And Personal Use Only