________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીવ-તત્ત્વ
પરંતુ માટી તો કાયમ જ રહી! ધ્રુવ રહી!
ઘડો ઉત્પન્ન થયો ત્યારે માટી હતી અને ઘડો નાશ પામ્યો ત્યારે પણ માટી તો હતી જ! માટી છે તો જ ઘડો ઉત્પન્ન થાય છે અને ઘડો નાશ પામે છે! ઉત્પત્તિ અને વિનાશ, ધ્રુવ અંશ પર આધારિત હોય છે.
હવે, આ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્યને આત્મતત્ત્વના માધ્યમથી સમજીએ. આત્મા ધ્રુવ તત્ત્વ છે.
મનુષ્યત્વ, દેવત્વ, તિર્યત્વ અને નારકત્વ ઉત્પત્તિશીલ અને વિનાશી પર્યાયો છે. મનુષ્યત્વ નાશ પામે, દેવત્વ ઉત્પન્ન થાય, દેવત્વ નાશ પામે, મનુષ્યત્વ ઉત્પન્ન થાય, મનુષ્યત્વ નાશ પામે, તિર્યંન્વ ઉત્પન્ન થાય. તિર્યંન્વ નાશ પામે,
નારકત્વ ઉત્પન્ન થાય .
આ મનુષ્યત્વાદિ પર્યાયો આત્માની ધ્રુવ સત્તા પર આધારિત છે. આત્મા છે તો મનુષ્યત્વાદિ પર્યાયો છે, આત્મા ન હોય તો મનુષ્યત્વાદિ પર્યાયો ન કોઈ શકે. આ રીતે ગ્રન્થકારે આત્મતત્ત્વનું-જીવ-તત્ત્વનું વિસ્તૃત વર્ણન કર્યું. હવે તેઓ અજીવ તત્ત્વ સમજાવે છે.
અજીવ-તત્વ
धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः । पुद्गलवर्जमरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः || २०७ ।।
૩૬૩
અર્થ : ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, પુદ્દગલદ્રવ્ય અને કાળ, આ(પાંચ) અજીવ દ્રવ્ય છે, પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્ય અરૂપી છે અને પુદ્ગલ દ્રવ્યો રૂપી કહ્યાં છે.
વિવેધન : સમગ્ર સૃષ્ટિમાં બે પ્રકારનાં મુખ્ય દ્રવ્યોનું અસ્તિત્વ છે : જીવ દ્રવ્યનું અને અજીવ દ્રવ્યનું. સૃષ્ટિનું યથાર્થ દર્શન, જીવાત્માના રાગ-દ્વેપ ઓછા કરે છે. અયથાર્થ બોધ રાગ-દ્વેષને ઉત્પન્ન થવાનું અસાધારણ કારણ છે. એટલે, મોક્ષમાર્ગની યાત્રા કરવા સહુ યાત્રિકોએ જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
અજીવ દ્રવ્યો પાંચ પ્રકા૨નાં છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ.
For Private And Personal Use Only
આ દ્રવ્યોની પરિભાષા આગળની કારિકાઓમાં આવશે. અહીં પ્રસ્તુતમાં તો ગ્રન્થકારે આ પાંચ દ્રવ્યોનું રૂપી-અરૂપી-બે વિભાગમાં વિભાજન કરી