________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉર્ધાત-વિનાશ-ધ્રોથ योऽर्थो यस्मिन्नाभूत् साम्प्रतकाले च दृश्यते तत्र । तेनोत्पादस्तस्य विगमस्तु तस्माद्विपर्यासा ।।२०५।। साम्प्रतकाले चानागते च यो यस्य भवति सम्बन्धी ।
तेनाविगमस्तस्येति स नित्यस्तेन भावेन ।।२०६।। અર્થ : જેમાં જે અર્થ નહોતો, પરંતુ વર્તમાનકાળમાં ત્યાં છે કે, તેની તે અર્થમાં ઉત્પત્તિ છે અને એનાથી વિપરીત વિનાશ દેખાય છે.
વસ્તુનું જ સ્વરૂપ વર્તમાનકાળમાં અતીતકાળમા વ નો અર્થ અતીત-ભૂતકાળ કરવાનો છે અને ભવિષ્યકાળમાં હોય છે, તે સ્વરૂપે તે વસ્તુનું નાશ ન પામવું તે, તે સ્વરૂપથી નિયતા છે.
વિવેચન : “સનું લક્ષણ બતાવ્યું છે કાવ્યયવ્યયુ) રમત એટલે, જે ઉત્પત્તિ-વિનાશ અને નિત્યતાથી યુક્ત હોય તેને સંતુ કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણેય અંશો હોય જ છે. માટે સમગ્ર તત્ત્વજ્ઞાનની જનની આ ત્રિપદી છે. ધર્મતીર્થની સ્થાપના કરનાર તીર્થકરો પોતાના ગણધરોને સર્વપ્રથમ આ ત્રિપદી આપે છે. ત્રિપદી આપીને તે વિશ્વનાં જડ-ચંતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી સૂક્ષ્મ પ્રક્રિયાનો બોધ આપે છે. દરેક દ્રવ્યમાં જે સ્થિર અંશ હોય છે તેને ધ્રુવ-અંશ કહેવાય છે અને અસ્થિર અને ઉત્પત્તિરૂપ અને વિનાશરૂપ અધ્રુવ-અંશ કહેવાય છે.
ઉત્પત્તિ : માટીનો પિંડો પડ્યો છે, તેમાં ઘડો દેખાતો નથી. બહાર જઈને આવ્યા, તો માટીનો પિંડો ઘડો બની ગયો છે! કુંભકારે એ માટીના પિંડને ચક્ર પર ચઢાવીને ધડો બનાવી દીધો છે. આનું નામ ઉત્પત્તિ. પહેલાં માટીના પિંડમાં ઘડા દેખાતો નહોતો અને વર્તમાનમાં દેખાય છે!
વિનાશ : માટીનો ઘડો પડ્યો છે. અખંડ છે, સુંદર છે. બીજા દિવસે જોયું તો ઘડો દેખાતો નથી. ઠીકરાં દેખાય છે. કોઈ માણસ પ્રહાર કરીને ઘડો ફોડી નાંખ્યાં છે...વડો નાશ પામ્યો છે. પહેલાં ઘડો દેખાતો હતો, હવે નથી દેખાતો, આનું નામ વિનાશ. ધ્રૌવ્ય : ઘડો નહોતો અને ઉત્પન્ન થયો. ઘડો હતો અને નાશ પામ્યો,
For Private And Personal Use Only