________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા : સત્ય-અસત્ ઘડામાં છે પણ, નથી પણ આ બે વિકલ્પો ઘટે છે. અથવા, એમ પણ ઘટાવી શકાય કે ઘડો ઘડારૂપે સત્ છે અને કાંઠલારૂપે અસત્ છે. માટે ઘડાને “છે પણ ખરો અને નથી પણ ખરો', એમ ઉભય રૂપે કહી શકાય.
પરનું આ છે પણ અને નથી પણ.' બંને ધમને એક સાથે કહેવાની વિવા હોય તો ચોથો વિકલ્પ રચા, નવજીવ્ય બને છે. એવું કોઈ વચન જ નથી કે બે ધર્મોનું એકસાથે કથન કરી શકે! માટે “અવક્તવ્ય' કહેવાય, “અકથની” કહેવાય.
એ જ ઘડાને જ્યારે પોતાના પર્યાયોથી અને એકીસાથે સ્વ-પર પર્યાયોથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે “તે ઘડો છે પણ અને અવક્તવ્ય છે', એમ કહેવાય. “ચાસ્તિ ૨ જીવ્ય' આ પાંચમો વિકલ્પ છે. એકસાથે સ્વ-પરના પર્યાયોનું કથન-વક્તવ્ય નથી થઈ શકતું.
એ જ ઘડાને જ્યારે પરપર્યાયોની અપેક્ષાએ અને એક સાથે સ્વ-પર પર્યાયોની અપેક્ષાએ વિવક્ષિત કરવામાં આવે ત્યારે તેને રચાત ગવરુધ્ધ ' કહેવાય, અર્થાતું, ‘અસતું પણ છે અને અવક્તવ્ય પણ છે', એમ કહેવાય.
એ જ ઘડાને જ્યારે ક્રમશઃ સ્વપર્યાયાની અપેક્ષાથી, પરપર્યાયની અપેક્ષાથી અને એક સાથે સ્વ-પરના પર્યાયોની અપેક્ષાથી વિવલિત કરવામાં આવે ત્યારે તેને “રાતિ , રચીન્નાસ્તિ અવરyવ્ય ' કહેવાય. અર્થાત્ “છે પણ, નથી પણ અને અવક્તવ્ય છે.”
આ રીતે વચનના સાત પ્રકાર છે. આ સાત પ્રકાર ગણતા અને મુખ્યતાના ભેદથી થાય છે. વસ્તુના જે ધર્મની વિવેક્ષા હોય છે તે ધર્મને ‘અર્પિત' અર્થાતુ મુખ્યપ્રધાન કહેવાય અને જે ધર્મની વિવક્ષા ગૌણ હોય છે-નથી હોતી, તેને “અનર્પિત’ અર્થાત્ ગૌણ કહેવામાં આવે છે.
વસ્તુના ધર્મને વિશેષતા અર્પિત થાય ત્યારે તે ધર્મને અર્પિત ભાવ કહેવાય અને વિશપતા વિનાના ધર્મને અનપિંત' કહેવાય.
આત્માના સ્વપર્યાય અને પરપર્યાયાની ભિન્નભિન્ન અપેક્ષાઓ નજર સામ રાખીને આ સાત વચનપ્રકારો બતાવાયેલા છે. આ રીતે આત્મસ્વરૂપનો બોધ વ્યાપક બને છે. - હવે સ્વયં ગ્રન્થકાર મહર્ષિ, ઉત્પત્તિ-નાશ અને ધ્રવ્યને બે ફારિકામાં સ્પષ્ટ કરે છે.
For Private And Personal Use Only