________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૩૦
બુદ્ધિમાન સ્ત્રી-પુરુષોએ, કે જેમને વિશુદ્ધ આત્મસ્વરૂપ પામવું છે, તેમણે આ રીતે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તત્ત્વરમણતા તાં જ થઈ શકે.
આત્મા ઃ સત-અસત
उत्पादविगमनित्यत्वलक्षणं यत्तदस्तिं सर्वमपि । सदसद्वा भवतीत्यन्यधार्पितानर्पितविशेषात् ।।२०४ ।।
અર્થ : જે ઉત્પત્તિ-વ્યય અને ધૌવ્યના લક્ષાથી યુક્ત છે તે બધું સત્ છે. એનાથી જે વિપરીત છે તે અસત્ છે. આ રીતે અર્પિત-અનર્પિતના ભેદથી વસ્તુ સતુ-અસત્ હોય છે.
વિવેચન : સત્ અને અસત્આનો નિર્ણય એક બીજી દૃષ્ટિથી કરવામાં આવે છે, અને એ દૃષ્ટિ છે લક્ષણની. દ્રવ્યનું લક્ષણ બતાવવામાં આવ્યું છેઉત્પાવવ્યયાયુ સત્। જે ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તેને ‘સત્’ કહેવાય. જેનામાં આ લક્ષણ ન થટે તેને અસત્ કહેવાય.
એક વ્યાવહારિક દૃષ્ટાંત લઈને આ લક્ષણને સમજીએ.
આપણા હાથની એક આંગળીને જુઓ. તે સીધી છે. હવે તેને વાળો. જ્યારે આંગળી વળી-વક્ર થઈ ત્યારે તેની ઋજુતા નાશ પામી, પરંતુ આંગળી આંગળી તરીકે તો કાયમ રહી! આંગળી ધ્રુવ છે. ઋજુતા નાશ પામી અને વક્રતાની ઉત્પત્તિ થઈ. આંગળીમાં લક્ષણ ઘટી ગયું માટે તે ‘સત્' છે.
હવે આ દૃષ્ટાંતને આત્મામાં ઘટાવીએ.
આપણો આત્મા અત્યારે મનુષ્ય છે, એનું મનુષ્યત્વ જ્યારે નાશ પામે છે અને દેવત્વાદિ પર્યાયો જન્મ છે ત્યારે મનુષ્યત્વનો નાશ વિગમ કહેવાય, દેવત્વાદિની ઉત્પત્તિ ઉત્પાદ કહેવાય અને આત્મા ધ્રુવ કહેવાય.
આ રીતે બે વિકલ્પ થયા : ચાત્ ગતિ, स्याद् નાસ્તિ1
ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત જે છે તે 'રચાત્ અસ્તિ' વિકલ્પમાં આવે અને ઉત્પત્તિ-વ્યય-ધ્રોવ્યથી જે રહિત છે તે ‘ચાલ નસ્ત’ વિકલ્પમાં આવે.
ત્રીજો વિકલ્પ છે : ચાપ્તિ = નાસ્તિ વો આ ભંગ-વિકલ્પ ઉભયરૂપ છે. આ વિકલ્પને એક સ્થૂલ ઉદાહરણથી સમજીએ :
દા.ત., એક ઘડે છે. તેનો કાંઠલા, કાંઠલાની અપેક્ષાએ સતુ છે અને પેટની અપેક્ષાએ અસત્ છે. બીજા ભાગોની અપેક્ષાએ અસત્ છે. પેટ, તળિયું વગેરે ભાગો પોત-પોતાની અપેક્ષાએ સત્ છે, કાંઠલાની અપેક્ષાએ અસત્ છે. એક જ
For Private And Personal Use Only