________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકપુરુષ जीवाजीवा द्रव्यमिति षड्विध भवति लोकपुरुषोऽयम्।
वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मा ।।२१०।। અર્થ : આ રીતે જીવ અને અજીવના ભેદથી છ દ્રવ્ય થાય છે. આ લોકપુરુષ છે. પોતાના બે હાથ કમર પર રાખીને, બે પગ ફેલાવીન (જેમ ધનુર્ધારી બે પગ ફેલાવીને ઊભા રહે=વૈશાખસ્થાન ઊભા રહેલા પુરુષ જેવો લોકપુરુષ છે. જુઓ પેજ ૪૪૪)
જિન : જીવ અને અજીવના આધારને “લોક' કહેવામાં આવે છે. એ લોકનો આકાર, ઊભા રહેલા પુરુષ જેવો હોવાથી લોકપુરુષ' કહેવામાં આવે છે. અજીવના પાંચ પ્રકારો ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાળી અને જીવ-એમ છ દ્રવ્યો આ લોકમાં રહેલાં છે. લોકની બહાર અલોકમાં માત્ર આકાશ દ્રવ્ય જ હોય છે. લોકપુપની આકૃતિ આ પ્રમાણે છે :
तत्राधोमुखमल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव तिर्यग्लोकमूर्ध्वमथ मल्लकसमुद्गम् ।।२११ ।।
सप्तविधोऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः ।
पञ्चदशविधानः पुनरुव॑लोकः समासेन ।।२१२।। અર્થ : એ લોકમાં, અધોલોકનો આકાર ઊંધા પડેલા શકરાના આકાર જેવો છે. (ઉપર સંક્ષિપ્ત, નીચે વિશાળ) તિર્ધગુલોકનો આકાર થાળીના આકાર જંવાં છે અને ઊર્ધ્વલોકનો આકાર ઊભા મૂકેલા શકોરા પર ઊંધા મૂકેલા શકરાના આકાર જેવો છે. (શરાવસંપુટ જેવ.) અધાલોકના સાત ભેદ છે. તિર્થગુલાકના અનેક ભેદ છે અને ઊદ્ગલોકના સંક્ષેપથી પંદર ભેદ છે.
વિવેત્તર : લોકપરુષનો આકાર કેવો હોય છે, તેને બે ઘરગથ્થવસ્તુઓના માધ્યમથી ગ્રન્થકાર સમજાવે છે. શકો અને થાળીની રચના કરી બતાવે છે.
For Private And Personal Use Only