________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીવ દ્રવ્યાત્મા' કેવી રીતે?
૩પ૭ દર્શનાત્મા કહેવાય, કારણ કે કોઈ ને કોઈ દર્શન જીવોમાં હોય જ છે.
૩. ચારિત્રાત્મા : પ્રાણાતિપાત આદિ પાપસ્થાનકોથી વિરત (વિરતિધર્મથી પરિણતઆત્મા “ચારિત્રાત્મા' કહેવાય.
૮. વીર્યાત્મા : વીર્ય એટલે શક્તિ. સર્વે જીવોમાં વિર્ય હોય જ છે, એટલે સહુ જીવોને ‘વીર્યાત્મા” કહેવાય.
પ્રશ્ન : દ્રવ્યાત્મા'નું સ્વરૂપ બતાવતાં આત્માને દ્રવ્યાત્મા' કહ્યો તે તો બરાબર છે, પરન્તુ તેની સાથે અજીવને પણ “દ્રવ્યાત્મા’ કહ્યો તે બરાબર લાગતું નથી, અજીવ અને આત્મા? આ કેવી રીતે ઘટી શકે?
ઉત્તર : આ પ્રશ્નનું સમાધાન ગ્રન્થકાર સ્વયં જ કારિકા ૨૦૨માં કરે છે.
અજીવ દ્રવ્યાત્મા’ કેવી રીતે?
द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण ।
आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ।।२०२।। અર્થ : નિયવિશેષથી (એક નયથી) બધાં દ્રવ્યોમાં “દવ્યાત્મા' એવો વ્યવહાર થાય છે. આત્માની અપેક્ષાએ આત્મા છે અને પરની અપેક્ષાએ અનાત્મા છે. વિવેચન : ઉપચાર' એટલે વ્યવહાર.
વ્યવહારથી અચેતનને “આત્મા' કહી શકાય. જેમ સર્વ ચેતન દ્રવ્યમાં દ્રવ્યત્વ અનુસ્મૃત છે તેવી રીતે અચેતન સર્વ દ્રવ્યોમાં પણ અનુસૂત પરમાણુ હોય છે, તે અનુસ્મૃત તત્ત્વને “આત્મા’ કહી શકાય.
સર્વ દ્રવ્યોમાં એક સામાન્ય ધર્મ જે પ્રવર્તે છે તેને “આત્મા’ કહી શકાય છે. આ કથન સામાન્યગ્રહી ‘નંગમન”ની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે.
નગમનન્ય નિર્વિકલ્પ મહાસત્તાને માને છે અને મનુષ્યત્વ, પશુત્વ આદિ સામાન્ય-વિશેષને પણ માને છે. દ્રવ્યની તમામ અવસ્થાઓને તે માન્ય રાખે છે. આ નયની અપેક્ષાએ અચેતનમાં પણ “દ્રવ્યાત્માનો વ્યવહાર થઈ શકે છે.
આ પ્રમાણે દ્રવ્યાત્મા, કષાયાત્મા... આદિ આત્મસ્વરૂપો બતાવ્યા પછી, ગ્રન્થકાર આત્મતત્વના ચિંતનમાં ઊંડા ઊતરતાં કહે છે :
આત્મા છે' એવું કથન એના દ્રવ્ય, ક્ષેત્રાદિની અપેક્ષાએ થઈ શકે. જે સમયે જે દ્રવ્ય-ક્ષેત્રાદિની વિવક્ષાથી આત્મા છે' એમ કહેવામાં આવે ત્યારે
For Private And Personal Use Only