________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
પ્રશમરતિ બીજા દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ “આત્મા નથી' એમ કહેવાય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ આ અસ્તિત્વ-નાસ્તિત્વનો વિચાર કરીએ
સ્વદ્રવ્યના અસ્તિત્વથી આત્મા છે, એમ કહેવાય, પરદ્રવ્યની અપેક્ષાએ આત્મા નથી એમ કહેવાય.
આત્મા જે ક્ષેત્રન-આકાશપ્રદેશને અવગાહીને રહ્યો હોય તે ક્ષેત્રની અપેક્ષાએ “આત્મા છે,” એમ કહેવાય, બીજા ક્ષેત્રની અપેક્ષાએ “આત્મા નથી” એમ કહેવાય.
- વર્તમાનકાળની અપેક્ષાએ આત્મા છે' એમ કહેવાય. અતીત-અનાગત કાળની અપેક્ષાએ “આત્મા નથી' એમ કહેવાય.
છે જ્યારે દયિક ભાવની અપેક્ષાએ “આત્મા છે” એમ કહેવાય ત્યારે પથમિક ભાવની અપેક્ષાએ “આત્મા નથી' એમ કહેવાય,
આ રીતે સંસારની બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપે સત્ છે અને પોતાના સિવાયના બીજા સ્વરૂપોની દૃષ્ટિએ અસત્ છે દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ જ સતું છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ અસત્ છે. પ્રશ્ન : શું આત્મા એકાંતે સત્ નથી?
ઉત્તર : ના, જેમ આત્મા એકાંતે નિત્ય નથી, એકાંતે અનિત્ય નથી, તેવી રીત આત્મા એકાંતે સતું નથી, એકાંતે અસત્ નથી. જે અપેક્ષાએ સત્ હોય એ અપેક્ષાએ અસત્ ન કહેવાય. જે અપેક્ષાએ અસત્ કહેવાય તે અપેક્ષાએ સત્ ન કહેવાય? પ્રશ્ન: અંક જ આત્માને સત્ અને અસતું બંને કહેવાય?
ઉત્તર : હા, પરંતુ એક જ સમયે સતુ-અસત્ ન કહેવાય. આત્મા સત્ પણ છે અને અસતું પણ છે. જે વખતે જે વિવક્ષા હોય તે વખતે તે વિવાથી સતુ કે અસત્ કહેવાય.
આત્મતત્ત્વચિંતન માટેનાં હજુ બીજાં દ્વાર ગ્રંથાકાર બતાવી રહ્યા છે.
४४. तत्र स्वद्रव्यक्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यम् परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति
द्रव्यम् । - पंचास्तिकाय टीकायाम्
For Private And Personal Use Only