________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનાં આઠ સ્વરૂપ
૩૫૫ એટલે સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે! ચાર કષાયો જાય એટલે સર્વજ્ઞ વીતરાગ બની જાય, આવા આત્માના ભિન્નભિન્ન, અપેક્ષાએ આઠ પ્રકાર બતાવવામાં આવે છે:
જીવનાં આઠ સ્વરૂપ द्रव्यं कषाययोगादुपयोगो ज्ञानदर्शने चेति । चारित्रं वीर्य चेत्यष्टविधा मार्गणा तस्य ।।१९९ ।।
जीवाजीयानां द्रव्यात्मा सकपायिणां कषायात्मा। योगा सयोगिनां पुनरूपयोगः सर्वजीवानाम् ।।२००।।
ज्ञानं सम्यादृष्टेर्दर्शनमथ भवति सर्वजीवानाम् ।
चारित्रं विरतानां तु सर्वसंसारिणां वीर्यम् ।।२०१।। અર્થ : દ્રવ્ય, ઉપાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય-આત્માની આ આઠ પ્રકારની ગવૈષણા છે.
જીવ-જીવાનો દ્રવ્યાત્મા, કપાયવાળાના કપાયાત્મા, સયાંગનો યોગાત્મા, સર્વ જીવાના ઉપયોગાત્મા (કહેવાય. - સમ્યગ્દષ્ટિનો જ્ઞાનાત્મા, સર્વજીવોનો દર્શનાત્મા, વિરતિધરોના ચારિત્રાત્મા અને સર્વ જીવોનો વીર્યાત્મા (કહેવાય)
વિવેવન : “આત્મતત્ત્વની વ્યાપક ઓળખાણ કરાવવા ઇચ્છતા ગ્રન્થકાર આપણાને આઠ પ્રકારે આત્માનું ચિંતન કરવાનું કહે છે. મોક્ષમાર્ગની આરાધનામાં મુમુક્ષુએ આ રીતે આત્મચિંતનમાં રચ્યાપચ્યા રહેવાનું હોય છે. તેથી કર્મનિર્જરા થાય છે. સ્વતન્તભૂત જ્ઞાનાદિગુણો પ્રગટ થાય છે.
આત્મા દ્રવ્યાત્મા કેવી રીતે કહેવાય, તે વિચારવું જોઈએ. આત્મા કષાયાત્મા ક્યાં સુધી કહેવાય અને કેમ કહેવાય, તેનું ચિંતન કરવું જોઈએ. આત્મા યોગાત્મા' કેમ કહેવાય તેનું મનન કરવું જોઈએ. આત્મા ઉપયોગાત્મા’ કઈ અપેક્ષાએ કહેવાય, તેના પર વિચાર કરવો જોઈએ. આત્મા “જ્ઞાનાત્મા’ અને દર્શનાત્મા’ કેમ કહેવાય, તેના પર ગંભીર ચિંતન કરવું જોઈએ. આત્મા ચારિત્રાત્મા' અને ‘વીર્ધાત્મા' કઈ દૃષ્ટિએ કહેવાય, તેના પર પણ ઊંડો વિચાર કરવા જોઈએ.
એક જ આત્મતત્વને એનાં જુદાં જુદાં છતાં વાસ્તવિક સ્વ-રૂપે જાણવાથી
For Private And Personal Use Only