________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૪.
પ્રશમરતિ વિવેચન : આ ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતો જીવ : ૧. જે આયુષ્ય સ્થિતિ | પામે છે, ૨. ગતિને નિરક, તિર્યંચ, મનુષ્ય, દેવ | પામે છે, ૩. ઇન્દ્રિયોને પામે છે, ૪. સંપત્તિને પામે છે, ૫. સુખ પામે છે, ૬. દુઃખ પામે છે.
એમાં આ ઔદયિકાદિ ભાવો મુખ્ય કારણ છે, મૂળભૂત કારણ છે. તે તે શુભ કે અશુભ ભાવમાં વર્તતો જીવ શુભાશુભ કર્મ બાંધે છે અને એ કમાંના ઉદયથી જીવાત્મા ગતિ, સ્થિતિ આદિ પ્રાપ્ત કરે છે. આત્મા' શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ આ પ્રમાણે થાય છે :
'अतति गच्छति तांस्तान् स्थानादिविशेषान् आप्नोति इत्यात्मा।' આ વ્યુત્પત્તિ-અર્થન આત્મામાં ઘટાવવા ગ્રન્થકારે આ કારિકાની રચના કરી છે. સ્થાન, ગતિ આદિને સ્પષ્ટ કર્યા છે.
“સ્થાન'નો અર્થ શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકામાં “આયુષ્ય' કરવામાં આવ્યો છે. જ્યારે અજ્ઞાતકર્તક ટીકામાં સ્થાન ”નો અર્થ, તે તે ગતિઓમાં જે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થાનો છે તેના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
તાત્પર્યાર્થ એ છે કે સંસારમાં જીવનું પરિભ્રમણ, ઇન્ડિયાની પ્રાપ્તિ, સંપત્તિની પ્રાપ્તિ, સુખ અને દુઃખની પ્રાપ્તિનું મૂળભૂત કારણ કર્મ નથી, પરંતુ આત્મા પોતે જ છે! આત્માના પોતાના ઔદયિકાદિ ભાવો છે. આ તથ્ય જો સમજાય તો મનુષ્ય સર્વપ્રથમ દયિક ભાવોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. તેમાં ક્રમશ: મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, ફણ-નીલ-કાપત લડ્યા, ચાર કપાય અને ત્રણ વેદના ઉદય દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. જેમ જેમ આ ભાવોથી મુક્ત થતો જાય તેમ તેમ તે ગુણસ્થાનકો પર ચઢતા જાય. આ ભાવોના નાશ સાથે-ઉપશમ સાથે ગુણપ્રાપ્તિ સંકળાયેલી છે. આ ભાવોના ક્ષય-ઉપશમ સાથે દુર્ગતિનો નાશ અને સદ્ગતિની પ્રાપ્તિ સંકળાયેલી છે. જેમ કે : મિથ્યાત્વ અને અજ્ઞાનના અભાવમાં આત્મા નરકગતિનું, તિર્યંચગતિનું અને મનુષ્યગતિનું આયુષ્યકર્મ ન બાંધે! મિથ્યાત્વ અને અજ્ઞાન જાય એટલે જીવ ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે! અસંયમ જાય એટલે છછું ગુણસ્થાનક પ્રાપ્ત કરે! કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ જાય
For Private And Personal Use Only