________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના ભાવ भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चैते ।।१९६।।
ते चैकविंशति-त्रि-द्वि-नवाष्टादशविधाश्च विज्ञेयाः ।
षष्ठश्च सान्निपातिक इत्यन्य: पञ्चदशभेदः ।।१९७ ।। અર્થ : જીવના દયિક, પારિણામિક, પથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, આ પાંચ ભાવ હોય છે.
તે (દયિકાદિ ભાવ) ર૧-૩-૨-૯ અને ૧૮ પ્રકારના (ક્રમશઃ) જાણવા. બીજો સાત્રિપાતિક નામનો છઠ્ઠો ભાવ છે, તેના ૧૫ ભેદ છે. વિવેચન : આ જીવનું સ્વતત્ત્વ છે, પાંચ પ્રકારના ભાવો!
જીવના સ્વરૂપને ઓળખવા માટે આ પાંચ ભાવોને સમજવા જ પડે. એ પાંચ ભાવોનાં નામ અને એમની વ્યાખ્યા નીચે મુજબ છે :
૧. ઔદયિક ભાવ : કમના ઉદય આત્માની એક પ્રકારની મલિનતા છે. શુભ અને અશુભ કર્મપ્રકૃતિઓને “વિપાકનુભવથી ભોગવવી પડે છે.
૨. પરિણામિક ભાવ : આત્મદ્રવ્યનું એક પરિણામ છે. કોઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન-તેને પરિણામિક ભાવ કહેવાય.
૩. પશમિક ભાવ : કર્મોના ઉપશમથી જે પેદા થાય તે ઔપશામિક ભાવ કહેવાય. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. કર્મોનો રસોદય અને પ્રદેશોદય બંને પ્રકારના કર્મોદય અટકી જાય ત્યારે આત્મા પરામિક ભાવમાં વર્તે છે. - ૪, ક્ષાયિક ભાવ : તે તે કર્મના સર્વથા ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિક ભાવ. કર્મનો ક્ષય થવાથી આત્મામાં અપૂર્વ વિશુદ્ધિ પ્રગટે છે.
૫. ક્ષાયોપથમિક ભાવ: કેટલાંક કર્મોનો ક્ષયથી અને કેટલાંક કર્મોના ઉપશમથી જે ભાવ પ્રગટે આત્મામાં, તેને ક્ષાયોપથમિક ભાવ કહેવાય. ઉદયમાં નહીં આવેલાં પરંતુ સત્તામાં રહેલાં કેટલાંક કર્મોનો ઉપશમ થાય અને ઉદયમાં આવેલાં કેટલાંક કર્મોનો નાશ થાય ત્યારે આત્મામાં આ ભાવ પ્રગટે છે.
આ પાંચ ભાવો આત્માનું સ્વરૂપ છે. જીવ સંસારી હોય કે મુક્ત એના પર્યાયો આ પાંચ ભાવોમાંથી કોઈ ને કોઈ ભાવવાળા હોય છે. અજીવમાં આ ભાવો હોતા નથી, તેથી આ ભાવો અજીવનું સ્વરૂપ નથી. મુક્ત જીવોમાં આ પાંચ ભાવોમાંથી માત્ર બે ભાવ હોય છે, ક્ષાયિક અને પરિણામિક.
For Private And Personal Use Only