________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જનો કરુણાવંત
૧૫ શ્રી ઉમાસ્વાતિજી દુનિયાના સજ્જનોની “પ્રસ્તાવના” લેવા માટે તેઓને વિનંતી કરી રહ્યા છે! તેઓને સમજાવી રહ્યા છે!
वालस्य यथा वचनं काहलमपि शोभते पितृसकाशे ।
तद्वत् सज्जनमध्ये प्रलपितमपि सिद्धिमुपयाति ।।११।। અર્થ : સ્પષ્ટ શબ્દોચારણ નહીં કરી શકતા શિશુનું તતલું-કાલું-કાલું પણ વચન પિતાની આગળ શોભે છે (પિતાને પરિતોષ પમાડે છે) તેમ (બાળકનાં કાલા-કાલાં વચનની જેમ) સર્જન પુરુષો સમક્ષ અસંબદ્ધ એવું પણ વચન પ્રખ્યાતિ પામે છે.
વિવેઇન: હે સજ્જનો! તમે તો મારા પિતા છો. શું પિતાની સમક્ષ નાનકડું શિશ એની તોતલી ભાષામાં મીઠું મીઠું નથી બોલતું? અને શિશુનાં એ તોતલાં વચનો પિતાને હર્ષથી નથી ભરી દેતાં? પિતા કેવો અદૂભૂત આનંદ અનુભવે છે? તો પછી તમને મારી આ તોતલી ભાષામાં રચાયેલી “પ્રશમરતિ’ નહીં ગમે? તમને આનંદ નહીં આપે? આપશે જ! મને વિશ્વાસ છે, મારા જેવા શિશુ પરનો આપનો પ્યાર, મારી આ તૂટલી-ફૂટલી ગ્રંથરચના પ્રત્યે સભાવ ઉત્પન્ન કરશે જ!”
સજજનોનું સંસાર પર કેવું ગજબનાક વર્ચસ્વ દુર્જનો પણ સજ્જનો તરફ જુએ, એમને માને! સજ્જન સહુને પ્રિય! સજજન સહુને વહાલો! એમાં આશ્ચર્ય પણ નથી. જે બીજા જીવોના ગુણ જ જુએ છે, બીજા જીવોના ગુણ જ ગાય છે, દોષો જોતો નથી ને દોષ બોલતો નથી, તે સહુને ગમે જ! જે સહુને ગમે, તેની વાત સહુ માને!
આપણે જેમને ગમતા નથી, તેમને આપણી વાત આપણે ગમાડી શકતા નથી, સ્વીકાર કરાવી શકતા નથી. આપણી વાત ભલે સાચી હોય કે સારી હોય, દુનિયાને એની પડી નથી! દુનિયા તો એ જુએ છે કે આ વાત કોણ કહીં રહ્યું છે? દુનિયાની પ્રિય વ્યક્તિ કહી રહી છે, તો તુરત જ એનો સ્વીકાર થશે, અપ્રિય વ્યક્તિ કહી રહી છે, તે તુરત જ એનો ઇન્કાર થશે!
આપણે દુનિયાને અર્થાતુ સમાજને, દેશને પ્રિય નથી, પરંતુ આપણી એક સારી અને હિતકારી વાત સમાજ પાસે, દેશ પાસે સ્વીકારાવવી છે, તો એના બે ઉપાય છે. (૧) સમાજની-દેશની પ્રિયતા સંપાદન કરો. (૨) જે સમાજને-દેશને પ્રિય છે, તેના દ્વારા આપણી વાત સમાજ સમક્ષદેશ સમક્ષ રજૂ કરાવરાવો.
For Private And Personal Use Only