________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘શાસ્ત્ર' કોને કહેવાય?
૩૩૫ મન-વચન-કાયાને સતત ધર્મશાસ્ત્રોમાં, અધ્યાત્મશાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં ઓતપ્રોત રાખીને અધ્યાત્મની યાત્રામાં પ્રગતિ કરતા રહેવાનું છે.
‘શા.' કોને કહેવાય? शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । त्रैङ्ति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ।।१८६ ।।
यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे। संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ।।१८७ ।। અર્થ : ચંદ પૂર્વધરો શા ધાતુનો અર્થ “અનુશાસન' કરે છે, અને સૈઃ ધાતુને બધા શબ્દ વત્તાએ ‘પાલન' અર્થમાં સુનિશ્ચિત કરેલો છે. માટે, રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત વ્યાપ્ત છે, તેમને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે અને દુઃખથી બચાવે છે, તેથી સના તન શાસ્ત્ર કહે છે.
વિવેવન : જો અનન્ત અને શાશ્વતુ સુખ પ્રાપ્ત કરવું છે, જો આત્માની પરમ શુદ્ધિ પ્રાપ્ત કરવી છે અને વર્તમાન જીવનને શાન્તિ, સમતા અને પ્રસન્નતાથી ઓળઘોળ કરી દેવું છે તો સદ્ધર્મમાં મન-વચન અને કાયાથી સ્થિર થવું જ પડશે. અસ્થિર, ચંચળ અને ઉદ્ધત બનેલાં મન-વચન-કાયાનું અનુશાસન કરવું પડશે, તે અનુશાસન કરે છે શાસ્ત્રો!
એનું જ નામ “શાસ્ત્ર' કે જે જીવોનાં મન-વચન અને કાયાને સદ્ધર્મમાં અર્થાતું અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહમાં સ્થાપિત કરે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર અને પરિગ્રહમાં જતાં મન-વચન-કાયાને રોકે! ક્રોધ-માન-માયા અને લોભમાં જતા જીવાત્માને રોકે.
આવાં શાસ્ત્રો તાડપત્ર ઉપર, તામ્રપત્ર ઉપર અને કાગળ વગેરે ઉપર જેમ લખાયેલાં હોય તેમ જ્ઞાની પુરુષોની વાણી પણ શાસ્ત્ર બની જતી હોય છે, કે જે વાણી માનવીના અન્તઃ કરણને સ્પર્શતી હોય છે અને એનું સદ્ધર્મમાં સ્થિરીકરણ કરતી હોય છે.
સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવાત્માઓનાં મન રાગ અને દ્વેષની પ્રબળ અસર નીચે હોય છે. એ મન તો જ સદ્ધર્મમાં સ્થિર થઈ શકે, જે નિરન્તર શાસ્ત્રોના અધ્યયન-ચિંતન-મનનમાં એ મનને જોડેલાં રાખવામાં આવે. વાણી અને કાયાને શાસ્ત્રોની દુનિયામાં જ જડેલાં રાખવામાં આવે.
For Private And Personal Use Only