________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો
૩૨૫ તમારા સુંદર અને સમૃદ્ધ વ્યક્તિત્વની પ્રશંસા સાંભળો નહીં. પ્રશંસા સાંભળવી પડે તો રાજી ન થાઓ. તમારા વ્યક્તિત્વની નિંદા થાય તો રોપ ન કર. પરદ્રવ્યો અને પરવ્યક્તિને સાપેક્ષ વ્યક્તિત્વનું અભિમાન ઠગાર નિવડે છે. માટે, અહંકાર તથા મમકારનો ત્યાગ કરી પરીષહાદિ પર વિજય મેળવો અને આત્તર-આનન્દને અનુભવો.
બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો प्रवचनभक्तिः श्रुतसम्पदुद्यमो व्यतिकरश्च संविग्नः ।
वैराग्यमार्गसद्भावभावधीस्थैर्यजनकानि ||१८१।। ઝર્થ - જિનપ્રવચનમાં ભક્તિ, શાસ્ત્રસંપત્તિમાં ઉઘમ અને સંસારની જીવન સંપર્ક-(આ ત્રણ વાત) વૈરાગ્ય માર્ગમાં બુદ્ધિની સ્થિરતા ઉત્પન્ન કરે છે, જીવાદિ તત્ત્વોની શ્રદ્ધામાં બુદ્ધિની સ્થિરતા ઉત્પન્ન કરે છે, અને (લયાપરામજન્ય) ભાવોમાં બુદ્ધિની સ્થિરતા ઉત્પન્ન કરે છે.
વિવેવન : શું તમારે તમારા મનને વૈરાગ્યમાં સ્થિર કરવું છે? તમારી બુદ્ધિને વૈરાગ્યરસથી સતત ભીંજાયેલી રાખવી છે? તો તમે તમારા અંતરાત્માની સાથે વિચારી લો.
જીવ-અજીવ-પાણય-પાપ-આશ્રવ-સંવરબંધ-નિર્જરા અને મોક્ષ-આ નવ તત્ત્વોનો તમારે તલસ્પર્શી અભ્યાસ કરવો છે? આ તત્ત્વોના તલસ્પર્શી અધ્યયન દ્વારા તમારી તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ બનાવવી છે? અર્થાત્ તમારી તત્ત્વશ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવીને બૌદ્ધિક સ્થિરતા સંપાદન કરવી છે? તો તમે ગંભીરતાથી વિચારી લો.
તમારે “મોહનીય કર્મનો ક્ષયોપશમ કરીને મેળવેલા સમ્યગુ દર્શન, સમ્યગુચારિત્ર જેવા ઉચ્ચતમ પવિત્ર ભાવામાં તમારી બુદ્ધિને જોડી રાખવી છે? અર્થાત્ તમારી બુદ્ધિને, સમ્યગદર્શન આદિ ક્ષાયોપથમિક ગુણોની દટતા માટે કામે લગાડવી છે? તો તમે પુખ્ત વિચાર કરી લો. ગ્રન્થકાર મહર્ષિ આપારાને એના ઉપાય બતાવે છે.
તમે વૈરાગ્યમાં સ્થિર થવાનું પ્રણિધાન કરીને, તાવિક શ્રદ્ધાને સુદઢ કરવાનાં સંકલ્પ કરીને અને ક્ષાયાપશમિક ગુણોની સિદ્ધિ-વૃદ્ધિ કરવાનો નિરધાર કરીને ૧. જિનપ્રવચનની ભક્તિ કરો. ૨. ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરતા રહો.
For Private And Personal Use Only