SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ ૩૨૬ ૩. ત્યાગી-વિરાગી મહાત્માઓના સંપર્કમાં રહો. જિનપ્રવચન એટલ તીર્થંકર પરમાત્મા અને એમનું ધર્મશાસન. તીર્થકર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવું, એ તેની સાચી સેવા છે. જિનાજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે છે, જિનેશ્વરની પ્રીતિ-ભક્તિસભર ભાવપૂજા કરવાથી. જેમ જિનેશ્વરની ભક્તિ કરવાની છે તેમ જિનેશ્વરના ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાની છે. વસ્ત્રો સંઘો તિલ્થ ચતુર્વિધ સંઘ એ તીર્થ છે. તીર્થ એટલે પ્રવચન. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘ પ્રત્યે પ્રીતિ અને ભક્તિનો ભાવ ધારણ કરવાનો. બીજો ઉપાય છે શ્રુતાભ્યાસી નિરન્તર શ્રુતસંપત્તિની વૃદ્ધિ કરતા રહેવાનું છે. શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન. જિનેશ્વર શ્રી મહાવીરદેવે જે તત્ત્વો પ્રકાશિત કર્યા, ગણધરોએ તે તત્ત્વોને લિપિબદ્ધ કર્યા, તે આગમ કહેવાયાં. મહાન પ્રજ્ઞાવંત આત્મજ્ઞાની મહર્ષિઓએ એ આગમગ્રન્થો પર નિર્યુક્તિ-ચૂર્ણ-ભાષ્ય અને ટીકારૂપે જે વ્યાખ્યાઓ કરી, વિવેચનો લખ્યાં, તે બધાનું અધ્યયનપરિશીલન કરતા રહો. પ્રતિદિન અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉત્સાહ અને પુરુષાર્થ જો ચાલતો રહે તો મને વૈરાગ્યભાવથી નવપલ્લવિત રહેવાનું વિશેષ ને વિશેષ તત્ત્વબોધ થતો જવાનો અને સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન તથા સમ્યફ ચારિત્ર વિશુદ્ધવિશુદ્ધતર થતાં જવાનાં. જ્ઞાનાનન્દના અનુભવમાં આત્મા સ્વાધીન સુખનો આસ્વાદ માણતો રહેવાનો. ત્રીજો ઉપાય છે ભવભ્રમણને અટકાવી દેવા તત્પર થયેલા વિરક્ત મુનિજનોનો સંપર્ક અને પરિચય, વૈરાગ્યભાવને જો પુષ્ટ કરવો છે, વૈરાગ્યમાર્ગે નિરંતર પ્રગતિ સાધવી છે તો વૈરાગી પુરુષોનો સંગ કરવો જ રહ્યો. કદાચ...સંસારત્યાગી મુનિજનોનો સંગ ન મળે એમ હોય તો, જે ગૃહવાસમાં રહેવા છતાં ગૃહવાસના ત્યાગની ભાવનામાં રમતા હોય, જેઓનું મન સંસારનાં સુખોમાં અનાસક્ત હોય. જેમની પાસે જ્ઞાનદષ્ટિ હોય, તેવા સત્પષોના સંપર્કમાં રહેવું જોઈએ. જો તમે મોક્ષમાર્ગના પથિક મુનિરાજ છો, તો તમારે એવા ત્યાગી-વૈરાગી અને મોક્ષમાર્ગના રાગી એવા મુનિજનોના સંપર્કમાં-સહવાસમાં રહેવું જોઈએ. જેઓ માત્ર વેશધારી હોય, પગલિક સુખોમાં અનુરક્ત હોય, જિનાજ્ઞાની ઉપેક્ષા કરતા હોય તેવાઓના પરિચયમાં કે સહવાસમાં ન રહેવું જોઈએ. તમારી બુદ્ધિમાં બગાડો ન થાય, એની તમારે સાવધાની રાખવી જોઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy