________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
પ્રશમરતિ પ્રાણ કાઢી નાંખવા સમર્થ હોય છે. તો પછી પાંચ-પાંચ ઇન્દ્રિયો ભેગી થઈન જીવને ભીંસમાં લે તો?
૫. અશુભ મન, અશુભ વાણી અને અશુભ દેહપ્રવૃત્તિ-આ ત્રણ દંડનો ભૂહ પણ મહાકાળના તાંડવ જેવો ખતરનાક લૂહ હોય છે. આ ત્રણ દંડનાં આક્રમણો ઝંઝાવાતી હોય છે.
પરીષહ, ગારવ, કષાય, ઇન્દ્રિયો અને દંડ-આ પાંચના બૃહોને ભેદી એમના પર વિજય મેળવવો સરળ કામ નથી. આ પાંચેય દુર્જાય છે! ઉદ્ધત છે. અને અસાધારણ બળવાળા છે. આવા શત્રુઓ પર વિજય મેળવવાનો દૃઢ સંકલ્પ કરી એના સુયોગ્ય ઉપાયો કરવા જોઈએ. ગ્રન્થકાર આપણને માત્ર બે ઉપાયો બતાવીને કહે છે કે “આ બે શસ્ત્રોથી તમે એ પાંચેપાંચ દુર્જય શત્રુઓ પર વિજય મેળવી શકશો. એ પાંચને ભૂશરણ કરી શકશો.”
એ બે શસ્ત્રો છે : ૧ મમકારનો ત્યાગ. ર. અહંકારનો ત્યાગ, મમકારને ત્યાગો, અહંકારને ત્યાગ. આ બે તત્ત્વોએ દુનિયાને આંધળી કરી મૂકી છે. અંધ જીવાત્મા સંસારની ચોર્યાસી લાખ ગલીઓમાં અથડાતોકૂટાતો પરિભ્રમણ કરી રહ્યો છે.
કોઈ પણ વસ્તુને, પદાર્થને કે વ્યક્તિને તમારી ન માનો. “આ સ્વજનો મારા, આ મિત્રો મારા, આ વૈભવ મારો.. આ શરીર મા..' આવી બધી મારાપણાની વૃત્તિઓને નામશેષ કરી નાંખો, “આ વિશ્વમાં કંઈ જ મારું નથી...” આવો નિર્ણય હૃદયની સાક્ષીએ થયા પછી પરીષહોને તમે સહજતાથી સહી શકશો. પરીપહ આવતાં તમને આર્તધ્યાન નહીં થાય. રસ-મૃદ્ધિ અને શાતાનાં સુખો તમને આકર્ષી નહીં શકે. ક્રોધાદિ કષાયોનાં નિમિત્ત જ ઊભાં નહીં થાય. ઇન્દ્રિયોના ઉન્માદ શાન્ત થઈ જશે.
અહંકારની મનોવૃત્તિ જેમ જેમ શાન્ત થતી જશે તેમ તેમ તમારા મનવચન-કાયાના યોગો વિશુદ્ધ બનતા જશે. “અહ” = “હું ન ભૂલવા માટે “નાહ' ના મંત્રજાપ કરવો જોઈએ. “હું જ નથી!”
જ્યાં સુધી હે મુનિરાજ, તમે તમારા અસ્તિત્વને અને વ્યક્તિત્વને વીસરી નહીં શકો ત્યાં સુધી પરીષહ આદિ પાંચ શત્રુ-સેનાપતિઓને પરાજિત નહીં કરી શકો. ક્યારે પણ વિજેતા નહીં બની શકો, માટે તમારા અસ્તિત્વનેવિભાવદશાના અસ્તિત્વને ભૂલવાના અભ્યાસ કરો. એવી રીતે વિભાવદશાજન્ય વ્યક્તિત્વને વીસરવાનો અભ્યાસ કરો.
For Private And Personal Use Only