________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમકાર-અહંકાર ત્યાગો ममकाराहंकारत्यागादतिदुर्जयोद्धतप्रबलान् ।
हन्ति परीषहगौरवकषायदण्डेन्द्रियव्यूहान् ।।१८०।। ઝર્થ : અહંકાર અને મમકારનાં ત્યાગથી આત્મા, અત્યંત દુર્જય અને બળવાન પરીષહ, ગારવ, કષાય, દંડ અને ઇન્દ્રિયના બૂહોનો નાશ કરી નાખે છે. વિવેવન: રાગ, દ્વેષ અને મોહની સેનાના સેનાપતિઓ આ પાંચ છે : આ પરિષહ
ગારવ ૨ કપાય * ઇન્દ્રિય
આ સેનાપતિએ કરેલી વ્યુહરચના એવી અદ્ભુત છે કે એ વ્યુહરચનાને ભેદવી ઘણી ઘણી મુશ્કેલ વાત બની જાય છે, એ વ્યુહરચનાને તોડ્યા વિના રાગ-દ્વેષ અને મોહ પર વિજય મળી શકતો નથી.
૧. જ્યારે બાવીસ પરીષહોમાંથી કોઈ ને કોઈ સુધા, તૃષા..આદિ પરીપહ આવે છે ત્યારે અસાવધ મુનિ, રાગ, દ્વેષ કે મોહના ફંદામાં ફસાઈ જતો હોય છે. જ્યારે શત-ઉષ્ણતા આદિ કોઈ કષ્ટ આવે છે ત્યારે તે જ વ્યાકુળ બની જાય છે તો દ્વેષમાં ફસાય છે.
૨. પ્રતિકૂળ એવા પરિષમાં નહીં ફસાનાર આત્મા, અનુકુળ એવા રસઋદ્ધિ અને શાતા સુખશીલતા માં ફસાઈ જાય છે! આ ત્રણ ગારોની વ્યુહરચના ગજબ છે.
૩, ત્રણ ગારોમાં રચ્યાપચ્યો રહેનાર જીવાત્મા ક્રોધ-માન-માયા અને લોભના ચક્રવ્યુહમાં ફસાય છે. ચાર કષાયોમાંથી કોઈ ને કોઈ કષાય જીવને ઝડપી લે છે. કષાયોના સાથમાં નો-કપાય પણ રહેલા હોય છે. એટલે કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. આ નવ નો-કપાયોની બૂહરચનામાંથી છૂટવું ઘણું ઘણું કપરું હોય છે.
ક, ઇન્દ્રિયોની વ્યુહરચના તો ઘણી જ અટપટી અને ખતરનાક હોય છે. એક-એક ઇન્દ્રિય જીવાત્માને પોતાના બાહુપાશમાં જકડી, ગૂંગળાવીને એના
For Private And Personal Use Only