________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઘર્મપાલનનું ફળ दशविधधर्मानुष्ठायिनः सदा रागद्वेषमोहानाम् ।
दृढरुढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ।।१७९ ।। અર્થ : જેઓ આ દશ પ્રકારના ધર્મનું સદા પાલન કરે છે તેઓનો દઢ રાગ, રૂઢ કંપ, અને ઘન મોહ અલ્પકાળમાં ઉપશાન્ત થાય છે. (અથવા ક્ષય થાય છે.) વિવેર : અનાદિકાલીન ભવભ્રમણનાં મૂળભૂત કારણ ત્રણ છે : ક દૃઢ રાગ કે રૂઢ વેષ * ઘન મોહ,
જે આત્માઓ સ્વયંમાં જાગે છે. જેમની જ્ઞાનદષ્ટિનો ઉઘાડ થાય છે તે આત્માઓ ભવભ્રમણને જરા ય નથી ઇચ્છતા. તેઓ સંસારનાં દુઃખોને સારી રીતે સમજે છે. સંસારને જ દુ:ખરૂપ સમજે છે! એ દુઃખરૂપ સંસારનાં મૂળભૂત કારણ શોધતા શોધતા તેઓ પોતાના જ અત્તરાત્મામાં એ કારણોને શોધી કાઢે છે! પોતાના આત્મામાં અનાદિ કાળથી રહેલા રાગ, દ્વેષ અને મહ-એ જ સંસાર છે અને એ જ સર્વ દુઃખોનાં મૂળભૂત કારણ છે.
આ રાગ, દ્વેષ અને મોહનું ઉન્મેલન કરવા જ્યારે તે આત્મા સંયમના મેદાને પડે છે ત્યારે તેને “મહાત્મા'ના રૂપે દુનિયા જુએ છે. કારણ કે રાગ, દ્વેષ અને મોહ પર વિજય મેળવવો કેટલો બધો દુષ્કર હોય છે, તે દુનિયાના ડાહ્યા માણસો જાણતા હોય છે.
આત્મભૂમિ પર રાગ દઢ થઈને રહેલો છે. હું આત્મભૂમિ પરથી નહીં જ હટું...' આ દૃઢતા સાથે રાગ રહેલો છે. મક્કમ નિર્ધાર કરીને રહેલો છે. એવી રીતે હેપ પણ આત્મપ્રદેશ પર દૃઢ થઈને રહેલો છે. તેમનાં મૂળ ખૂબ ઊંડાં ગયેલાં છે, મોહ પણ આત્મા સાથે વજલેપ કરતાં પણ વિશેષ પ્રગાઢપણે આત્મા સાથે ચોંટીને રહેલો છે.
આ રાગ-દ્વેષ અને મહિનો અલ્પકાળમાં ઉપશમ થઈ શકે છે, જે મુનિરાજ દશ પ્રકારના યતિધર્મનું-મુનિધર્મનું યથાર્થ પાલન કરે, નિરંતર પાલન કરે તો! મુનિધર્મનું સતત અને દોષરહિત પાલન કરવાથી રાગ-દ્વપ અને મોહનો ક્ષય કે ઉપશમ થયા વિના ન રહે,
For Private And Personal Use Only