________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપશ્ચર્યા
૩૧૫ . સલીનના : આ તપના બે પ્રકાર છે : ૧. ઇન્દ્રિય-સંલીનતા, અને ૨, નોઇન્દ્રિય સંલીનતા.
જેમ કાચબો પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે છે, તેવી રીતે મુનિવરો પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે. અર્થાત્ શરીરનું અને ઇન્દ્રિયોનું નિપ્રયોજન હલનચલન ન કરે. શક્ય પ્રયત્નથી કાયસ્થિરતા રાખે.
શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષયોમાં જતી ઇન્દ્રિયોને રોકે અને ઇન્દ્રિયોને શુભ ભાવમાં જોડી રાખે.
નો-ઈન્દ્રિય એટલે મન. જેવી રીતે ઇન્દ્રિયોની સંલીનતાનું તપ કરવાનું છે, એવી રીતે મનની સંસીનતાનું તપ કરવાનું છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્તમન સંલીન કહેવાય. જ્યારે મનમાં ક્રોધ હોય, માન હોય, માયા હોય અને લોભ હોય ત્યારે તે મને સંલીન નથી હોતું પણ ઉદ્વિગ્ન અને સંતપ્ત હોય છે. મુનિ ક્રોધાદિ કપાયોનો ઉદય જ રોકે! અર્થાત્ ક્રોધાદિ મનમાં આવે જ નહીં, એ રીતે મનને જ્ઞાનોપાસનામાં, ધ્યાનસાધનામાં અને ચારિત્રની ક્રિયાઓમાં જોડલું રાખે.
તે છતાં પ્રમાદથી કે અસાવધાનીથી કપાય મનમાં આવી જાય તો તેને ઉપશાત્ત કરવાના ઉપાયો કરે. કાયાથી એ ઉપાયો અભિવ્યક્ત થઈ જાય તો ક્ષમા, નમ્રતા, સરળતા, અને નિલભતાથી એનું વારણ કરે. “નોઈદ્રિય સંસીનતા આને કહેવાય.
મુનિજીવન જીવનારા સાધકોએ આ છ પ્રકારના બાહ્ય તપનો આદર કરવાનો હોય છે અને જીવનમાં જીવવાનો હોય છે. ગૃહસ્થો પણ આ છ પ્રકારોને, પોતપોતાની ભૂમિકા મુજબ આચરી શકે છે. તVા નિર્નર ' તપશ્ચર્યાથી કમની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા કરીને આત્મવિશુદ્ધિ કરવાની ઝંખનાવાળા સાધકોએ બાહ્ય તપ આચરવું જોઈએ.
प्रायश्चित्तध्याने वैयावृत्यविनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः षट्प्रकारमभ्यन्तरं भवति ।।१७६।। અર્થ : પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ છે પ્રકારના અભ્યત્તર તપ છે.
વિવેધન : છ પ્રકારના બાહ્ય તપનું વિવેચન કર્યું અને હવે છ પ્રકારના અત્યંતર તપનું વિવેચન કરવામાં આવે છે.
For Private And Personal Use Only