________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
પ્રશમરતિ ૧. પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત્ત. સરુનાં ચરણોમાં વિનયપૂર્વક પોતાનાં પાપો કહેવાં, અતિચાર પ્રગટ કરવા અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે તે વહન કરવું, અને પ્રાયશ્ચિત્ત તપ કહે છે.
૨. ધ્યાન : આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ તે પણ તપશ્ચર્યા છે. ચિત્તનિરોધરૂપ ધ્યાનને તપ કહેવામાં આવ્યું છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં જતા. ચિત્તને રોકવું તે ધ્યાન છે.
ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં એકાગ્રતા અનુભવતું ચિત્ત, તે ધ્યાન છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. "આજ્ઞાવિચય ૨. અપાયવિચય ૩. વિપાકવિચય ૪. સંસ્થાનવિચય. શુક્લધ્યાનનો અર્થ, ટીકાકાર મહાત્મા બહુ સુંદર કરે છે. =શક, દુ:ખ, સંતાપ, શારીરિક અને માનસિક દુ:ખ. શોકનો જેનાથી નાશ થાય (સુનાતે) તેને ‘શુક્લ' કહેવાય. તે શુક્લધ્યાન પણ ચાર પ્રકારનું છે :
૧. “પૃથકૃત્વ-વિતર્ક સવિચાર. ૨. એકત્વવિતર્ક અવિચાર. ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી. ૪. ભૂપતક્રિયા અનિવૃત્તિ. શુકુલધ્યાનના પહેલા બે પ્રકારના અંતે જીવાત્મા કેવળજ્ઞાની બને છે. છેલ્લા બે પ્રકારોના અંત આત્મા અક બને છે. અને સિદ્ધમુક્ત બની જાય છે.
૩. વૈયાવૃત્ય : આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલ આદિની શરીર-શુકૃપા કરવી અને એમના માટે ભિક્ષા, પાણી, વસ્ત્ર-પાત્ર આદિ લાવી આપવાં,..વગેરે સેવા કરવી, તેનું નામ “વૈયાવૃત્ય” છે. મુનિજનોએ ખૂબ નમ્રતાથી અને પ્રસન્નચિત્તથી વૈિયાવૃત્ય કરવાનું છે. “હું બીજાઓ પર ઉપકાર કરું છું.” આ વિચાર ક્યારેય ૧૯. આ ચાર ધ્યાનનું વિવેચન કારિકા - ૨૪૭ માં કરવામાં આવશું. ર૦. આ ચાર ધ્યાનનું વિવેચન કારિકા-૨૫૯ માં કરવામાં આવશે.
For Private And Personal Use Only