________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ .
પ્રશમરતિ ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિમાં જીવાત્મા કેવી અદ્ભુત શુદ્ધિ પ્રાપ્ત કરતો આગળ વધે છે, ક્રમશઃ કેવા-કેવા દોષોનો નાશ થતો જાય છે ! અલ્પ સમયમાં કેવી અપૂર્વ આત્મશુદ્ધિ થતી જાય છે. એ બધી અગમ અગોચરની વાતો વાંચીને, વિચારીને, જિનેશ્વરના ધર્મશાસન પ્રત્યે મારી શ્રદ્ધા...મારો વિશ્વાસ દૃઢ બનતા જાય છે.
સમ્યગ્દર્શન રૂપ, સમ્યગૂજ્ઞાન રૂપ અને સમ્યફચારિત્ર રૂપ આ ધર્મની સાધના-આરાધનામાં જો જીવાત્મા અનુરક્ત થઈ જાય...તો સહજતાથી તે પૂર્ણતાને પામી જાય, જરૂર પામી જાય! પરંતુ ધર્મમાં આસક્ત બની જવું પડે! અનુરક્તિ થઈ જવી જોઈએ, તો જ પાર પામી શકાય.
પામવો છે મોક્ષ, ઇચ્છું છું મોક્ષને-મુક્તિને, પરન્તુ ધર્મમાં હું લીન નથી બનતો...ધર્મમાં હજુ મારી આસક્તિ નથી થઈ..ધર્મ સિવાય પણ મને બીજું ઘણું ગમે છે. ધર્મ સિવાયની વાતોમાં અને વસ્તુઓમાં મારી અનુરક્તિ છે...કેવી રીતે હું મોક્ષ પામી શકું? કેવી રીતે આંતરશત્રુઓ પર વિજય મેળવી શકું?
ગ્રન્થકાર મહર્ષિ કહે છે : “સર્વજ્ઞ વીતરાગે બતાવેલા ધર્મમાં આસક્ત થાઓ અને સહજતાથી ભવસાગર તરી જાઓ!' સંસારની આસક્તિમાંથી છૂટવા માટે મારે ઘસક્તિ કેળવવી પડશે.. હવે હું કૃતધર્મ અને ચારિત્રધર્મમાં આસક્ત બનીશ.
કેવો મહાનું..કેવો દુર્લભ ધર્મ મને પ્રાપ્ત થયો છે! કેવું મારું શ્રેષ્ઠ ભાગ્ય છે! કેવો મને સુવર્ણ-અવસર પ્રાપ્ત થયો છે ધર્મ-સાધનાનો! માનવજીવન મળ્યું છે...પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ મળી છે...સારું મન મળ્યું છે...સારા સંયોગો મળ્યા છે...! કોઈ વાતે અધુરપ નથી..તો હવે હું ધર્મપુરુષાર્થમાં પ્રમાદ નહીં કરું! મન-વચન-કાયાથી ધર્મપુક્ષાર્થ કરીશ. ધર્મમાં લીન બનીશ, તલ્લીન બનીશ !
બોધિદુર્લભતા-ભાવના मानुष्यकर्मभूम्यार्यदेशकुलकल्पतायुरूपलव्धी । श्रद्धाकथकश्रवणेषु सत्स्वपि सुदुर्लभा वोधिः ।।१६२ ।। અર્થ : મનુષ્યજન્મ, કર્મભૂમિ, આર્યદેશ, આર્યકુલ, નીરોગિતા અને આયુષ્ય પ્રાપ્ત થવા છતાં, શ્રદ્ધા, સદ્ગુર અને શાસ્ત્રશ્રવણ પ્રાપ્ત થવા છતાં, બાંધિ (સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે.
વિવેચન : અનન્ત જીવસૃષ્ટિમાં, આજે હું મનુષ્યરૂપ છું, મને મનુષ્યજીવન
For Private And Personal Use Only