________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોધિદુર્લભતા-ભાવના મળેલું છે. આ મારું કેવું મહાનું ભાગ્ય કહેવાય! હું નરકમાં નારકીરૂપે હોત તો? હું તિર્યંચગતિમાં પશુરૂપ, પક્ષીરૂપે કે કીડારૂપે હોત તો? કેવી ઘોર વેદનાઓ સહવી પડત? પ્રગાઢ અજ્ઞાનના અંધકારમાં ભટકવું પડત! દેવલોકમાં દેવ હોત તોય શું? વૈષયિક સુખમાં લીન બન્યો હોત અને ધર્મપુરુષાર્થથી વંચિત રહ્યા હોત.
મને માનવજીવન મળ્યું છે! કે જે જીવનમાં તીવ્ર દુઃખો નથી અને ભરપૂર સુખો નથી, એટલે આત્મકલ્યાણાર્થ પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તક મને મળી ગઈ! પરંતુ હું “અકર્મભૂમિ'માં માનવરૂપે જન્મ્યો હોત તો મારું શું થાત? ‘અકર્મભૂમિ' માં ન કોઈ તીર્થંકર જન્મ, ન કોઈ ત્યાં ધર્મશાસન, ન કોઈ ત્યાં સદ્ગુરુ મળે! '
માર આ ભરતક્ષેત્રમાં જન્મ થયો, કે જે ભરતક્ષેત્ર “કર્મભૂમિ' છે! જોકે આવાં પાંચ ભરતક્ષેત્ર છે વિશ્વમાં. પાંચ એવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે દુનિયામાં! આ ક્ષેત્રોમાં યથાયોગ્ય કાળે તીર્થંકરો થાય, તેઓ ધર્મસ્થાપના કરે. એમના એ ધર્મશાસનમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હોય.....સહુ પરસ્પર મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બને. કેવું ભાગ્ય કે હું ‘કર્મભૂમિ માં જમ્યો!
એટલું જ નહીં, મારો જન્મ પણ ઉત્તમ કુળમાં થયો! સંસ્કારી માતા મળી. દયાળુ પિતા મળ્યા. ચારે બાજુ અહિંસક અને દયાભીનું વાતાવરણ મળ્યું. પરિવારમાં કે પડોશમાં ન કોઈ હિંસા કે ન મારામારી!ન કોઈ ચોરી કે ન કોઈ દુરાચાર....! પરમાર્થ અને પરોપકારનું વાતાવરણ મળ્યું. આને પણ હું મારું મોંઘેરું ભાગ્ય સમજું છું.
મને શરીર પણ કેવું નીરોગી મળ્યું છે...શરીર નીરોગી હોય તો જ મોક્ષમાર્ગની આરાધના સારી રીતે થઈ શકે ને! જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ, પરમાર્થ-પરોપકાર આદિની આરાધના, શરીર સ્વસ્થ હોય છે તો જ થઈ શકે છે. ખરેખર, મારા નીરોગી શરીરે મને ઘણી સહાય કરી છે અને કરે છે.
એથી પણ વિશેષ સૌભાગ્ય તો એને માનું છું કે મારું આયુષ્ય સમાપ્ત નથી થઈ ગયું. ભલે નીરોગી દેહ હોય, પરંતુ જો આયુષ્ય પૂરું થઈ જાય તો મૃત્યુ નિશ્ચિત બને છે. જી અલ્પ આયુષ્ય હોત અને બાલ્યકાળમાં જ મોત આવી ગયું હોત તો મોક્ષમાર્ગની આરાધના કરવાનો કોઈ અવસર ન મળત... દીર્ઘ આયુષ્યની સાથે, ધર્મતત્ત્વ તરફ મારી જિજ્ઞાસા જાગી...એ કોઈ
For Private And Personal Use Only