________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮0.
પ્રશમરતિ કરીને હું કેવાં ચીકણાં અને ભારેખમ કર્મ બાંધું છું - એ સમજવા છતાં હું પાપવિચારોનો ત્યાગ નથી કરી શકતો...આ મારું કેવું દુર્ભાગ્ય કહેવાય? પાપવિચારો ક્યારેક મારી વાણીને પણ અસત્ય-અભદ્ર બનાવી દે છે. હું ન બોલવાનું બોલી નાખું છું. ભલે, પછી મને પસ્તાવો થાય. હું ક્ષમા માગી લઉ...પરન્તુ વાણી-સંયમ હું કરી શકતો નથી એ હકીફત છે. એને કારણે પણ હું નવાં નવાં પાપ કમાંથી બંધાઈ રહ્યો છું.
ફાયાથી-પાંચેય ઇન્દ્રિયોના માધ્યમથી પણ હું એવાં ખોટાં કામ કરી રહ્યો છું. કે જેના પરિણામે અનન્ત કમનું ઉપાર્જન થાય છે. રોજે રોજ...ક્ષણે ક્ષણે આ રીતે હું કેટલાં બધાં પાપકર્મ બાંધી રહ્યો છું - આ વિચાર જ મને કમકમાટી ઉપજાવે છે.
જાણું છું કે સર્વ દુઃખોનું મૂળભૂત કારણ પાપકર્મો છે. દુ:ખો નથી ઇચ્છતો, છતાં પાપાચરણ નથી છોડતો! પાપ આચરતો જાઉં છું. પછી દુઃખોથી મારો છુટકારો કેવી રીતે થવાનો?
મારું મન દ્રઢ થાઓ. પરમાત્માની અને સદ્ગુરુઓની એવી કૃપા વરસો કે હું આ આશ્રવદ્વારોને બંધ કરવા સમર્થ બનું. નવાં બંધાતાં કર્મોને રોકી શકું.
સંવર-ભાવના या पुण्यपापयोरग्रहणे वाक्कायमानसी वृत्तिः। सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः ।।१५८।। અર્થ : મન-વચન-કાયાની જે પ્રવૃત્તિથી પુણ્ય અને પાપનું ગ્રહણ ન થાય એવી, આત્મામાં સારી રીતે ધારણા કરાયેલી પ્રવૃત્તિને, જિનોપદિષ્ટ હિતકારી સંવર' કહે છે, તેનું ચિંતન કરવું જોઈએ.
વિવેચન: નિરંતર આત્મામાં કર્મોનો પ્રચંડ પ્રવાહ વહી આવે છે. ક્યારેય મેં એ કર્મોના પ્રવાહને રોકવાનો વિચાર પણ નથી કર્યો, શુભકર્મો આવે છે, અશુભ કર્મો આવે છે.
હું જાણું છું કે જ્યાં સુધી આ કર્મ-પ્રવાહ આત્મામાં પ્રવેશતો અટકે નહીં ત્યાં સુધી આત્માનું નિત્ય, અનન્ત અને અવ્યાબાધ સુખ મળે નહીં. સુખ અને દુઃખનાં દ્વન્દ દૂર થાય નહીં. હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, આનંદ અને ઉદ્વેગનાં ભાવક્વો નાશ પામે નહીં.
For Private And Personal Use Only