________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦.
પ્રશમરતિ કોઈ તમને શરણ આપવાની લોભામણી વાતો કરે તો તેમાં ફસાઓ નહીં. મારે તમારું શરણ નથી જોઈતું. તમે સ્વયં અશરણ છો, તમે સ્વયં અસહાય છો, તમે મને કેવી રીતે શરણ આપી શકો? શું તમે મને જન્મ અને મૃત્યુનાં દુ:ખોથી બચાવી શકશો? શું તમે મારા શરીરને રોગમુક્ત રાખી શકશો? શું તમે મારા મનને ચિત્તાઓમાંથી ઉગારી શકશો? નહીં, ક્યારેય નહીં. માટે, હવે મારો નિર્ણય અફર છે કે હું જિનવચન સિવાય કોઈનું ય શરણ સ્વીકારીશ
નહીં.”
જિનવચન તમને અવશ્ય શરણ આપશે, પરંતુ તે માટે તમારે એ જિનવચન ગ્રહણ કરવાં પડશે. ચિંતન-મનન કરવું પડશે. દિવસોના દિવસો, વપનાં વર્ષો સુધી તમારે અનુપ્રેક્ષા કરવી પડશે! તો, એ જિનવચનો તમારા આત્મભાવને નિર્ભયતા, નિશ્ચિતતા અને પ્રસન્નતા પ્રદાન કરશે જ.
એકcoiાવના एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्ते।
તમાતાલિદતમે નૈવાત્મનઃ વયે 19 રૂ I અર્થ : સંસાર-સાગરના આવર્તમાં જીવ એકલો (અસહાય) જન્મે છે, એકલો મરે છે. એકલો શુભ-અશુભ ગતિઓમાં જાય છે, માટે જીવે એકલાએ જ પોતાનું સ્થાથી હિત
કરવું જોઈએ,
વિવેચન : હું એકલો છું! જન્મ છું એકલો અને માં હું એકલો! નરકમાં જાઉં તોય, એકલો અને સ્વર્ગમાં જાઉં તોય એકલો! મનુષ્ય ગતિમાં જન્મે તોય એકલો અને તિર્યંચગતિમાં જન્મ લઉં તોય એકલો!
જે અનંતકાળ વીતી ગયો આ સંસારમાં પરિભ્રમણ કરતાં, તે અનંતકાળમાં જે કોઈ સુખ-દુઃખ સહ્યાં મારા જીવે, તે પણ એકલાએ જ. “હું' એટલે કે આત્મા, એકલો છું...અસહાય છું...આ એક વાસ્તવિકતા છે, અને મારે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ...આ વાસ્તવિકતાનો મેં સ્વીકાર નથી કર્યો, અનેકતાની જ કલ્પના કરતાં રહ્યો છું, અનેકતામાં જ રાચતો રહ્યો છું..‘એકલામાં દુઃખ અને ઘણામાં સુખ.' આ વિચાર મારો દઢ રહ્યો છે, એટલે એકમાંથી અનેક થવાના જ પ્રયત્નો કર્યા છે...અને કર્યું જાઉં છું. ( વિશાળ પરિવાર હોય તો સુખ, વિશાળ મિત્રમંડળ હોય તો સુખ, વિશાળ અનુયાયી વર્ગ હોય તો સુખ...બસ, સમૂહમાં જ સુખ અને આનંદની કલ્પના
For Private And Personal Use Only