________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
પ્રશમરતિ તમારે “ગ્રન્થ'નું નિરાકરણ કરી નિગ્રંથ બનવાનું છે. કમાં અને કર્મબંધના હેતુઓ પર વિજય મેળવવાનો છે. વિજયી બનવાના ઉત્સાહ સાથે તમે યુદ્ધ કરતા રહો, તમારો વિજય નિશ્ચિત છે.
કથ્થ-અધ્ય यज्ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोपाणाम् । कल्पयति निश्चये यत् तत् कल्प्यमकल्प्यमवशेषम् ।।१४३।। અર્થ : માટે જે વસ્તુ જ્ઞાન, શીલ અને તપને વધારે તથા દોષોને દૂર કરે, તે નિશ્ચયથી અને વ્યવહારથી) કલ્પનીય છે, બાકીનું બધું અકલ્પનીય છે.
વિવેચન : મુનિના માટે શું કવ્ય અને શું અકથ્ય, એની ખૂબ સ્પષ્ટ ભેદરેખા ગ્રન્થકાર દોરી આપી છે. મુનિના જ્ઞાનની, શીલની અને તપની વૃદ્ધિમાં જે સહાયક બને અને દાપોનો નિગ્રહ કરવામાં સહાયક બન, તે બધું જ કહ્ય! એ સિવાયનું બધું જ અકથ્ય! મુનિએ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય કરવાનો છે.
મુનિને ધર્મગ્રન્થોનું અધ્યયન-પરિશીલન કરવાનું હોય છે. તત્ત્વચિંતન કરવાનું હોય છે. ધર્મોપદેશ આપવાનો હોય છે; પોતાની આ જ્ઞાનોપાસના નિરંતર થતી રહે, એ માટે આવશ્યક આહાર, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરે સાધનોની મુનિએ પસંદગી કરવાની હોય છે.
મુનિને પાંચ મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે. રાત્રિભોજન કરવાનું હોતું નથી, પોતાની આવશ્યક ધર્મક્રિયાઓ કરવાની હોય છે; આ વ્રત-નિયમ અને ક્રિયાનુષ્ઠાનો મુનિ સારી રીતે કરી શકે તે માટે આવશ્યક આહાર, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વગેરેની પસંદગી કરવાની હોય છે.
મુનિને ઉપવાસ-આયંબિલ આદિ બાહ્ય તપ કરવાના હોય છે. સ્વાધ્યાય, ધ્યાન આદિ અત્યંતર તપ કરવાના હોય છે. આ તપશ્ચર્યા સારી રીતે થઈ શકે, એ દૃષ્ટિથી મુનિએ આહાર, વસ્ત્ર-પાત્ર, ઉપાશ્રય આદિની પસંદગી કરવાની હોય છે. આ બધું એણે મધ્યસ્થભાવથી કરવાનું હોય છે. પસંદગીમાં રસલાલુપતા, શરીરની સુખશીલતા કે માન-સન્માનની કામના માધ્યમ ન બનવાં જોઈએ.
જેવી રીતે જ્ઞાન, શીલ અને તપની વૃદ્ધિનો વિચાર કરવાનો છે, તેવી રીતે દોષોને દૂર કરવાની દૃષ્ટિ પણ કધ્ય-અકથ્યના નિર્ણયમાં મહત્ત્વની રહેવી
For Private And Personal Use Only