________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કય-અકથ્ય
૨૫૩ જોઈએ. જ્યારે સુધાની પીડા તમારી જ્ઞાનોપાસનાને ડહોળી નાંખતી હોય, તમારી આવશ્યક ધર્મક્રિયાઓમાં વિક્ષેપ નાંખતી હોય, તમારી બાહ્ય-અત્યંતર તપશ્ચર્યામાં બાધક બનતી હોય ત્યારે તમારે આહારની સમુચિત ગવેષણા કરવી જ જોઈએ. એવી રીતે તૃષા તમારી સંયમયાત્રામાં બાધક બનતી હોય, ગરમી અને ઠંડી તમારા શુભ અધ્યવસાયોને અશુભ કરી દેતાં હોય ત્યારે તમારે આહાર, વસ્ત્ર-પાત્ર, ઉપાશ્રય આદિની ઉત્સર્ગ દૃષ્ટિથી કે અપવાદષ્ટિથી પસંદગી કરવી જોઈએ.
ધા-તૃષા અને ઠંડી-ગરમી વગેરે પરિસો સહવા એ શ્રમણ-જીવનની એક શરત છે. પરંતુ એ પરીપહો ત્યાં સુધી જ સહવાના છે કે જ્યાં સુધી શ્રમણની સમતા-સમાધિ ટકે છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન આવી જાય એ રીતે પરિહો સહવાના નથી. એટલે કે સુધા તંગ કરી રહી છે અને નિદૉષ ભિક્ષા મળતી નથી. તુષા ખૂબ સતાવી રહી છે અને દોષરહિત પાણી મળતું નથી...તો ત્યાં દોષયુક્ત આહાર-પાણી લઈને પણ સુધા-તૃષા શાન્ત કરવાં જોઈએ. ઓછામાં ઓછા દોષ લાગે, એની શ્રમણે કાળજી રાખવી જોઈએ.
નિવાસ કરવા માટે દોષરહિત ઉપાશ્રય મળતો નથી...નિવાસની જગ્યા વિના જ્ઞાનોપાસના અને બીજા સંયમયોગો આરાધી શકાય એમ નથી...આવા સંયોગોમાં અકથ્ય મકાન પણ કપ્ય બની જાય છે! દોષયુકા મકાનમાં પણ નિવાસ કરવો પડે. આ નિર્ણય અપવાદ દૃષ્ટિથી લીઘો કહેવાય.
વસ્ત્રો વિના શરીર સંયમ આરાધનામાં સાથ આપતું નથી. ભયાનક ઠંડી ચામડી ચીરી નાંખે છે...મન જ્ઞાન-ધ્યાનમાં લાગતું નથી. બીજી બાજુ ઉત્સર્ગમાર્ગથી ગવેષણ કરવા જતાં વસ્ત્ર મળતાં નથી તો ત્યાં અપવાદમાર્ગથી પણ મુનિ વસ્ત્ર પ્રાપ્ત કરે.
સંયમયાત્રામાં અવરોધક દોષને દૂર કરવાની દૃષ્ટિથી, રાગ-દ્વેષરહિત આત્મભાવથી સાધુ આહાર-ઉપાધિ અને ઉપાશ્રય ગ્રહણ કરે, તે એના માટે કચ્યું છે. સંયમઆરાધનામાં બાધક બને.અવરોધક બને એવા આહારઉપધિ અને ઉપાશ્રય સાધુ ગ્રહણ ન કરે.
એ નથી ભૂલવાનું કે રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન જેવા આંતરદોષોનો ઉચ્છેદ કરવા માટે જ સાધુ-જીવન છે. આ પાયાની વાત ભૂલ્યા વિના, એ આંતરદોષોનું ઉમૂલન કરતાં કરતાં આગળ વધવાનું છે. બધા જ વિધિનિષેધો આ આંતરદોષોને નિર્મળ કરવા માટે યોજાયેલા છે. વિધિ-નિષેધો
For Private And Personal Use Only