________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિગ્રંથ કોને કહેવાય? ग्रन्थाकर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च ।
તિજ્ઞયદેતો સંતે ય સ નિઃ +9૪૨ T અર્થ : આઠ પ્રકારનાં કર્મ, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભ યોગ, આ ગ્રન્થ” છે. તને જીતવા માટે અશઠપણે (માયારહિત) જે સમગૃ ઉદ્યમ કરે તે નિગ્રંથ.
વિવેચન : સાધુ. મુનિ શ્રમણ...ભિક્ષ. આ બધા માટે “નિર્ઝન્થ' શબ્દ વપરાયેલો છે. “નિગ્રંથ' શબ્દ અર્થસૂચક સુંદર શબ્દ છે. ગ્રન્થકારે એ શબ્દના ભાવને ખોલ્યો છે. ટીકાકાર આચાર્યશ્રીએ એ ભાવને સુસ્પષ્ટ કર્યો છે.
ગ્રન્થ' શબ્દને “નિ' ઉપસર્ગ લાગીને નિર્ચન્થ” શબ્દ બન્યો છે. જેનાથી જીવાત્મા ગૂંથાય. વીંટળાય તેને ગ્રન્થ કહેવાય. એ ગ્રન્થ છે આઠ પ્રકારનાં કર્મ, અને એ કર્મોના બંધનમાં હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિ તથા મન-વચનકાયાના અશુભ યોગો.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, અંતરાય, નામ, આયુષ્ય અને ગોત્ર, આ આઠ કર્મ છે. જ્યાં સુધી જીવાત્મા સર્વજ્ઞકથિત તત્ત્વ અને પદાર્થોને માનતો નથી, જાણતો નથી ત્યાં સુધી આ કમોંથી આત્મા બંધાતો રહે છે. જ્યાં સુધી હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનાં પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરતો નથી ત્યાં સુધી આ કર્મોથી એ બંધાતો રહે છે. જ્યાં સુધી મન અશુભ અને અશુદ્ધ વિચારો કરતું રહે છે, વાણી અસત્ય બોલાતી રહે છે અને પાંચ ઇન્દ્રિયો એના વિષયોમાં રમતી રહે છે ત્યાં સુધી આ કર્મો બંધાતાં રહે છે.આ છે ગ્રન્થ!
મોક્ષમાર્ગન યાત્રિક મુનિ, કર્મબંધના હેતુઓને સારી રીતે જાણે. એનો માનસિક દઢ સંકલ્પ હોય કે “મારે નવાં કર્મ બાંધવા નથી અને જે કર્મો બંધાયેલાં છે, એનાથી મુક્ત થવું છે.” આ સંકલ્પ નિષ્કપટ હૃદયનો હોય છે. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું ધ્યેય-એ જ નિષ્કપટપણું છે. મારે હવે કોઈ કર્મજન્ય સુખ નથી જોઈતું.’ આ નિર્ધાર એના નિષ્કપટ હૃદયની સાક્ષી છે. | સર્વજ્ઞશાસનના આગમગ્રન્થોનું આદર પૂર્વક અધ્યયન-પરિશીલન કરી એ મહાત્મા, એ “ગ્રન્થ”નું નિરાકરણ કરવાના ઉપાય શોધી કાઢે છે. એ ઉપાયોને સારી રીતે જાણીને, અમલમાં મૂકે છે. હું આ કમને જીતીશ જ.' આવા દઢ નિર્ધાર સાથે એ ઉદ્યમશીલ બને છે.
For Private And Personal Use Only