________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ! અલિપ્ત રહો!
૨૪૯ બીજું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે ઘોડાનું. લગ્નપ્રસંગે વરરાજાને સવારી કરવા ઘોડાને શણગારવામાં આવે છે. સોના-રૂપાનાં આભૂષણો પહેરાવવામાં આવે છે, મૂલ્યવાન વસ્ત્રોથી એની શોભા કરવામાં આવે છે. શું એ ઘોડાને એ વસ્ત્રો અને અલંકારો પર મમતા થાય છે? ઘોડાના શણગારને જોનારા ભલે રાગી બને, ઘાડો પાંતાના શણગાર પ્રત્યે અનુરાગી નથી બનતો. જ્યારે માણસ એના શણગારને ઉતારી લે છે ત્યારે ઘોડો વિરોધ નથી કરતો.. રુદન નથી કરતો! સહજભાવ અ શણગાર કરવા દે છે.. સહજભાવે એ શણગારને ઉતારવા દે છે.
મુનિ આવી જ સહજતાથી વસ્ત્ર-પાત્ર આદિ ગ્રહણ કરે છે અને અવસરે ત્યાગ કરે છે. ન રાગ, ન સ્નેહ, ન પ! બહારથી વસ્ત્રપાત્રાદિને ધારણ કરનાર મુનિ અંત:કરણથી અલિપ્ત હોય છે. માટે તેને “નિર્ગસ્થ' કહેવામાં આવે છે. ગ્રન્થ એટલે ગાંઠ, નથી હોતી રાગની ગાંઠ કે નથી હોતી દેશની ગાંઠ. માટે તેઓ નિર્ઝન્ય હોય છે.
શરીર પર વસ્ત્રાદિ હોવા છતાં અને પાસે રજહરણ-મુખવસ્ત્રિકા અને દંડ વગેરે હોવા છતાં મુનિ પરિગ્રહી નથી. મમતા હોય તો પરિગ્રહ કહેવાય, મમતા નથી. ઉપકરણ રાખવા માત્રથી કોઈ પરિગ્રહી બની જતું નથી. જે એ રીતે ઉપકરણો રાખવા માત્રથી પરિગ્રહી બની જવાતું હોય તો શરીર પણ પરિગ્રહ બની જશે! અલબત્ત, શરીર પર મમત્વ રાખનાર માટે શરીર પણ પરિગ્રહ બને છે.
એટલે, પાયાની વાત એ છે કે મુનિ વસ્ત્ર-પાત્ર આદિ ધર્મોકરણ રાખી શકે છે. શરીરને સાચવી શકે છે, એ માટે ભોજનાદિ લઈ શકે છે. શરત એટલી જ છે કે એણે એ બધામાં આસક્તિ, મમતા નથી રાખવાની. કમળની જેમ એણે નિર્લેપ રહેવાનું છે. ઘોડાની જેમ નિઃસ્પૃહ-નિર્મમ રહેવાનું છે.
એમ તક ન કરશો કે કમલ તો મનરહિત છે. ઘોડો પણ વિકસિત મનવાળો નથી... એટલે રાગ-દ્વેષ નથી કરતો.' તમારે પણ તમારા બનાવ મનને મારી નાંખવાનું છે! જે બાહ્ય મનમાં રાગ-દ્રુપના વિકલ્પો જન્મ છે, એ મનનો નાશ કરવાનો છે. નિર્લેપ બનવા માટે મન વિનાના બની જવું પડે તો બની જાઓ! મન હોવા છતાં મન વિનાના બની જવાનું! મનના ઉપયોગ માત્ર ધર્મધ્યાનમાં અને શુક્લધ્યાન માટે જ કરવાનો. મનના ઉપયોગ તત્ત્વચિંતન માટે કરવાનાં. રાગીપી મનનું મારણ કરી, કમલ જેવા નિલંપ અને અશ્વ જેવા અનાસક્ત બની સંયમયાત્રા કરતા રહો.
For Private And Personal Use Only