________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ-દ્વેષહિત ભોજન કરો
गुणवदमूर्च्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन ।
दारूपमधृतिना भवति कल्प्यमास्वाद्यमास्वाद्यम् ।। १३६ ।।
અર્થ : લાકડાના જેવા ધેર્યવાળા સાધુ ગ્રહણ કરવા યોગ્ય સ્વાદિષ્ટ ભોજન રાગરહિત મનથી અને સ્વાદરહિત ભોજન દ્વેષરહિત મનથી જો કરે છે તો તે ભાંજન કરવા યોગ્ય ભોજન બને છે.
વિવેચન : ‘હે મુનિરાજ! તમારે લાકડા જેવા લાગણીહીન બની જવાનું છે! ન રાગની લાગણી, ન દ્વેષની લાગણી! લાકડાને સુથાર ગંધાથી છોલી નાંખે કે કરવતથી વ્હેરી નાંખે તો શું લાકડું રોષ કરે છે? લાકડા ઉપર
કોઈ ભક્ત કંકુનાં છાંટણાં કરે અને ફૂલોની માળા પહેરાવે તો શું લાકડું રાજી થઈ જાય છે? એમ હે મુનિવર, તમારી પાસે ષડ્રસનાં ભોજન આવે તો રાગ નહીં કરવાનો અને રસહીન-બેસ્વાદ ભોજન આવે તો àપ નહીં કરવાનો. બસ, આ રીતે રાગ-દ્વેષના વિચારોથી મનને મુક્ત રાખી તમારે આહાર કરવાનો છે.’
ભગવાન ઉમાસ્વાતિજી, સાધુના મનને રાગ-દ્વેષરહિત ઇચ્છે છે. જડસૃષ્ટિ પ્રત્યે રાગ-દ્વેષ રહિત અને જીવસૃષ્ટિ તરફ મૈત્રી-પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવથી સભર મુનિની મનઃસૃષ્ટિ હોય. આહાર, વસ્ત્ર, મકાન આદિ જીવનોપયોગી સાધનોનાં મુનિ રાગ-દ્વેષ રહિત મનથી ઉપયોગ કરે.
પ્રશ્ન : શું મન રાગ-દ્વેષરહિત રહી શકે? મનમાં રાગના કે દ્વેષના વિચારો તો આવી જ જાય છે.
ઉત્તર ઃ છદ્મસ્થ જીવાત્માનું મન સંપૂર્ણ રાગરહિત કે દ્વેષરહિત ન બની શકે, એ વાત સાચી છે; પરંતુ મનને રાગની તીવ્રતા વિનાનું, દ્વેષની તીવ્રતા વિનાનું તો બનાવી શકાય છે. રાગ-દ્વેષની તીવ્રતાને નામશેષ કરી નાંખવા માટે ‘આહાર’ તરફ જોવાની ગ્રન્થકારે જ્ઞાનદૃષ્ટિ આપી છે. એ જ્ઞાનદૃષ્ટિથી જોનાર સાધુને આહાર પ્રત્યે રાગ થાય જ નહીં. સર્પની જેમ આહારને મોઢામાં વાગોળ્યા વિના, ગળે ઉતારી જનાર સાધુને આહારવિષયક રાગ-દ્વેષ થાય જ નહીં.
મારે ધર્મના સાધન તરીકે શરીરને ટકાવવું છે,' આ સ્પષ્ટ નિર્ણય થયા પછી આહાર અંગે ‘આ સારો આહાર, આ નરમાં આહાર' આ ભેદ રહેતો નથી. પ્રતિક્ષણ જાગ્રત સાધુ રસહીન આહાર જ ૨. રસપ્રચુર આહારને બને
For Private And Personal Use Only