________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકવિરુદ્ધનો ત્યાગ
૨૩૩ અને કર્તવ્ય-અકર્તવ્યની સૂઝ આવે. “આ કરવું જોઈએ અથવા આ ન કરવું જોઈએ,’ આ ખ્યાલ એને આવી જાય.
ક્યારેક કોઈ કાર્યમાં, જનસમૂહ સાધુપુરુર્ષોનો સહયોગ ઇચ્છતો હોય, પરંતુ એ કાર્ય સાધુધર્મની મર્યાદાની બહારનું હોય, ત્યારે વિચક્ષણ સાધુ જનસમૂહને પોતાની મર્યાદાઓ એ રીતે સમજાવે કે જનસમૂહને અરૂચિ કે અભાવ ન થાય, જનસમાજમાં સાધુ પ્રત્યે દ્વેષ કે ઘણા ન થાય. સાધુએ પોતાના દશ પ્રકારના ધર્મના પાલનમાં જાગ્રત રહેવાનું છે, તેમ જે જનસમાજના આધારે એને સંયમયાત્રા કરવાની છે તે જનસમાજ પ્રત્યે સભાન રહેવાનું છે; એની જરાય ઉપેક્ષા કે અવગણના કરવાની નથી.
જો એ જનસમાજની અવગણના કરે તો એ જનસમાજ સાધનો કેપીવિરોધી બની જાય. હેપી અને વિરોધી બનેલા જનસમાજ પાસેથી સાધુને પોતાના શરીર માટેના સાધનો આહાર-ઉપકરણ-આવાસ પ્રાપ્ત ન થાય. તેથી શરીર રોગી કે અશકત બની જાય. રોગી કે અશક્ત શરીર સંયમધર્મના પાલનમાં ઉપયોગી ન બને, તેથી સંયમધર્મની આરાધના અશક્ય બની જાય. માટે સાધુ-સાધ્વીએ જનસમાજ સાથે પોતાના સંબંધો સુરક્ષિત રાખવા જોઈએ વિવેકથી ત્યાગ કરો.
दोषेणानुपकारी भवति परो येन येन विद्वेष्टि। स्वयमपि तद्दोषपदं सदा प्रयत्नेन परिहार्यम् ।।१३३ ।। અર્થ : જે જે દોપથી બીજે માણસ અનુપકારી થાય છે, હેપ કરે છે, તે તે દોષસ્થાનનો પાંત પણ જાગ્રત રહીન, હમેશાં ત્યાગ કરવો જોઈએ.
વિવેચન : જે જનસમાજની પાસેથી સંયમધર્મના પાલનમાં સહાયક સામગ્રી પ્રાપ્ત કરવાની હોય છે, એ જનસમાજની એક પણ વ્યક્તિ શ્રમણ કે શ્રમણી તરફ હૈષવાળી ન બને, અનર્થકારી ન બને, એની કાળજી શ્રમણ-શ્રમણીએ રાખવાની છે. એ માટે શ્રમણોએ જાણવું જોઈએ કે લોકો કેવાં કેવાંઆચરણથી રોષે ભરાય છે, ગુસ્સે થાય છે. શું કરવાથી લોકો અણગમાવાળા અને તિરસ્કાર કરનારા બને છે, એ જાણી લેવું જોઈએ, અહીં કેટલાક પ્રસંગોની કલ્પના કરીને જનસમાજ શ્રમણ-શ્રમણી પ્રત્યે કેવી રીતે રોષે ભરાય છે તે બતાવીશ. તે જાણીને શ્રમણ-શ્રમણીએ આવાં આચરણનો ત્યાગ કરવો જોઈએ.
૧. શ્રમણ રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, ત્યાં એક ઘરના દ્વારે એ ઘરનો માલિક રોષે ભરાઈને એક સંન્યાસીને કહી રહ્યા છે : “હમણાં મારું ઘર
For Private And Personal Use Only