________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમીનો આધારસંસાર!
૨૨૯ સ્વજનોનાં સુખ દુઃખોની વાતો કરવી, ચિંતા કરવી....હવે વર્યુ છે. શરીરની શાભા માટે, શરીરને બળવાનું બનાવવા માટે સારા, માદક પદાથો વાપરવા, ઘી-દૂધ-દહીં વગેરે વાપરવાં....એનો નિષેધ કરવામાં આવ્યો છે.
સમાજના લોકો સાથે એવો સંપર્ક ન જોઈએ કે એમના અંગે એવા વિચારો ન જોઈએ કે જે સાધુના વૈરાગ્યનો નાશ કરે. શરીરની એવી તુષ્ટિ-પુષ્ટિ ન જોઈએ કે જે સાધુના મનમાં વિકારો જન્માવે, સાધુની રસવૃત્તિ પ્રબળ બને. નિરાકુલ અને નિર્વિકાર ચિત્તવૃત્તિ ટકી રહે અને સંયમયાત્રા ચાલતી રહે, એટલી જ લોકવાર્તા અને શરીરવાર્તા કરવાની છે.
સંયમીનો આઘારશંસાર! लोकः खल्धाधारः सर्वेषां ब्रह्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धञ्च संत्याज्यम् ।।१३१ ।। અર્થ : સર્વે સંયમીઓનો આધાર લોક જનપદજ છે, માટે લોકવિરુદ્ધ આચરણનો નો ત્યાગ કરવો જોઈએ.
વિવેચન : જે જનસમાજની નિશ્રામાં સર્વે સંયમ સ્ત્રી-પુરોને જીવન જીવવાનું હોય છે, એ જનસમાજની ઉપેક્ષા સંયમી સ્ત્રી-પુરુષોથી ન જ કરાય. ચારિત્ર-ધર્મની આરાધના કરનારાં સાધુ અને સાધ્વીએ જનસમાજનું જ્ઞાનદૃષ્ટિથી મૂલ્યાંકન કરવાનું છે. એમણે સમજવાનું છે કે “અમારી સંયમયાત્રાનો આધાર જનસમાજ છે.” આ સમજીને એ આધારભૂત જનસમાજની રુચિ-અરુચિનો ખ્યાલ રાખવાનો છે. આધારને ક્યારે આઘાત ન લાગે, તેની સંપૂર્ણ કાળજી રાખીને જીવન જીવવાનું છે. ભલે પછી એ ચારિત્રધારી મધ્યમમાર્ગી હોય કે ઉત્કૃષ્ટ સાધક હોય, ભલે એ ગામનગરોમાં વિચરતો હોય કે જંગલોમાં પરિભ્રમણ કરતો હોય.
ભલે સંયમી પુરુષ પર-નિરપેક્ષ જીવન જીવતો હોય છતાં એને શરીરને ટકાવવા આહારની જરૂર તો રહેવાની જ. ભલે એને શરીરની મમતા ન હોય છતાં શરીર, લાજ ઢાંકવા માટે વસ્ત્રોની આવશ્યકતા તો રહેવાની જ. ભલે એ ક્ષેત્ર-નિરપેક્ષ સંયમયાત્રા કરતો હોય છતાં એને અલ્પકાલીન પણ નિવાસસ્થાનની જરૂર રહેવાની જ. આ આહાર, વસ્ત્ર, આવાસ વગેરે અને જનસમાજ પાસેથી જ મેળવવાનાં રહે છે. જો એ જનસમાજની ઉપેક્ષા કરે, અવગણના કરે, તિરસ્કાર કરે, તો એને આહાર વગેરેની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય, એની સંયમયાત્રા વિકટ બની જાય. એટલે, જનસમાજને અપ્રિય અને અરુચિકર
For Private And Personal Use Only