________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૩. ભિક્ષા લેતાં એ ગૃહસ્થના વૈભવનો, સંપત્તિનો વિચાર કરે. જો એ ઘર નિર્ધન જેવું હોય તો એ લોકોને જરાય તકલીફ ન પડે એવી અલ્પ ભિક્ષા લે.
૪. ભલે ઘર શ્રીમંત હોય પરંતુ દાન આપવાની અભિરૂચિ ન જુએ તો અલ્પ ભિક્ષા લે અથવા ન પણ લે.
૫. ઘરમાં પારિવારિક ઝગડો ચાલતો હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય કે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, તો એ ઘરમાં ભિક્ષા માટે ન જાય.
અનેક પ્રકારની ચિતા સાધુએ કરવી જોઈએ. જે ચિંતાનો સંબંધ પોતાની ધર્મસાધના સાથે ન હોય તેવી વ્યર્થ ચિંતા સાધુ ન કરે. લોકોની આરંભસમારંભ ભરેલી વ્યાપાર વગેરેની વાતો ન કરે.
સાધુ પોતાના શરીરની કાળજી રાખે, પાંચ ઇન્દ્રિયોની કાળજી રાખે. કારણ કે એને જે કોઈ ધર્મઆરાધના કરવાની છે, તેનું મુખ્ય સાધન છે શરીર. એને ધર્મગ્રન્થોનું શ્રવણ કરવાનું છે, માટે એના કાન કામ કરતા હોવા જોઈએ. એને ધર્મગ્રન્થોનું અધ્યયન કરવાનું છે, પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરવાનાં છે, પદયાત્રા કરવાની છે, પ્રતિલેખનની ક્રિયા કરવાની છે....માટે એની આંખો નીરોગી જોઈએ. સાધુનું જીવન સ્વાશ્રયી હોય છે એટલે એનાં દરેક અંગોપાંગ અખંડ અને વ્યાધિરહિત જોઈએ. એટલે સાધુ પોતાના શરીરની કાળજી રાખે. એનું લક્ષ હોય છે ચારિત્રધર્મની આરાધનાનું.
ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા વગેરે દશ પ્રકારના સાધુધર્મનું પાલન પણ સ્વસ્થ શરીરથી થઈ શકે છે. ક્ષુધાતુર મનુષ્ય પ્રાયઃ ક્ષમાભાવ જાળવી શકતા નથી, અસ્વસ્થ શરીરથી તપશ્ચર્યા થઈ શકતી નથી. સ્વાધ્યાય થઈ શકતો નથી, સેવા-ભક્તિ થઈ શકતી નથી.
લોકચિંતા નહીં કરવાનો અને શરીર પ્રત્યે મમતારહિત બનવાનો ઉપદેશ આપનારા જ્ઞાની પુરુષો લોકચિંતા અને શરીરચિંતા કરવાનો માર્ગ બતાવે છે! આ છે અનેકાંત દષ્ટિ! “લોકચિંતા ન જ કરવી જોઈએ, શરરચિંતા ન જ કરવી જોઈએ.' આવું એકાંત પ્રતિપાદન નથી કરતા. લોકચિંતા ન કરવી જોઈએ અને કરવી પણ જોઈએ! શરીરનું લાલનપાલન ન કરવું જોઈએ અને કરવું પણ જોઈએ! સાધુની પાસે જ્ઞાનદષ્ટિ અને, વિવેકદૃષ્ટિ જોઈએ.
ક્ષમા વગેરે સાધુધર્મના પાલન માટે, પાંચ મહાવ્રતમય ચારિત્રધર્મના પાલન માટે, સાધુધર્મની ક્રિયાઓ માટે શરીરની જાળવણી કરવી અને તે માટે લોકસંપર્ક તથા લોક-વિચાર કરવા આવશ્યક હોય છે. રાગવશ કે મોહવશ બની સ્નેહી
For Private And Personal Use Only