________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મનિમિત્તે અપવાદ
૨૨૭ એ સાધુપુરુષો અદ્ભુત સ્વસ્થતાથી જીવનયાત્રા કરી રહ્યા છે કે જેઓ સમગ્ર પરિચિંતાઓથી મુક્ત છે અને આત્મચિંતનમાં લીન છે. જેઓના રાગદ્વેષ અને કામવિકારોના વિષમ જ્વર શાન્ત થઈ ગયા છે એવા યોગીપુરુષોની ભાવપૂર્ણ સ્મૃતિ કરી, એવી અવસ્થા પામવા પુરુષાર્થશીલ બનીએ.
ઘર્મનિમિતે અપવાદ या चेह लोकवार्ता शरीरवार्ता तपस्विनां या च ।
सद्धर्मचरणवार्तानिमित्तकं तद्वयमपीष्टम् ।।१३० ।। અર્થ : જે કોઈ ઇહલોક-વાર્તા અને જો કોઈ શરીરવાર્તા સાધુઓના સદ્ધર્મના અને ચારિત્રના નિર્વાહમાં હેતુભૂત હોય, તે બંને (લોકવાર્તા-શરીરવાર્તા) અભિમત છે. જિનશાસનમાં માન્ય છે.)
વિવેદન : “જો સાધુ સમગ્ર લોકચિંતા ત્યજી દે તો એ પોતાનું જીવન કેવી રીતે જીવી શકે? શરીરના નિર્વાહ માટે એણે લોકો પાસે તો જવું જ પડે ને?' આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન ઉમાસ્વાતિ કહે છે : સાધુજીવન જીવવા માટે, સાધુજીવનમાં આરાધવાના ધર્મયોગોની આરાધના માટે શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. શરીરની સ્વસ્થતા. આહાર અને પાણી ઉપર નિર્ભર હોય છે. આહાર-પાણી ગૃહસ્થો પાસેથી લાવવાનાં હોય છે. એ માટે સાધુઓને ગૃહસ્થોના સંપર્કમાં આવવું પડે તો એનો સંપર્ક વિર્ય નથી, ત્યાજ્ય નથી.
સાધુ એટલો લોક-વિચાર તો કરે જ કે એને દોષરહિત ભિક્ષા ક્યાંથી મળશે. એ ભિક્ષાવેળાનો પણ વિચાર કરે કે એને ગૃહસ્થોના ઘરોમાં ક્યારે ભિક્ષા મળશે. એ ગૃહસ્થોની આર્થિક અને માનસિક સ્થિતિનો પણ વિચાર કરે. એ ગૃહરથની પારિવારિક સ્થિતિનો પણ વિચાર કરે...આ બધા વિચારોનું મૂળ કેન્દ્રબિંદુ હોય શરીરને ટકાવવા માટે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ લેવાનું, કે જે સંયમજીવન માટે અતિ આવશ્યક હોય.
૧. સાધ એવાં ગૃહસ્થ ઘરોમાં ભિક્ષા લેવા જાય કે જ્યાંથી એ દોષરહિત ભિક્ષા મળે એમ હોય. એ માટે એ એવાં ગૃહસ્થઘરો અંગે વિચાર કરે અને સહવર્તી સાધુઓ સાથે પણ વાત કરે.
૨. દરેક ગામમાં લોકોનો જમવાનો સમય એક સરખો હોતો નથી, એટલે જે ગામમાં સાધુ હોય તે ગામમાં લોકોનો જમવાનો સમય જાણે. એ સમયે ભિક્ષા લેવા જાય.
For Private And Personal Use Only