SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ પ્રશમરતિ જેમને કોઈ બાહ્ય સુખ મેળવવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખ દૂર કરવાની અભિલાષા નથી....બાહ્ય સુખદુઃખની કલ્પનાઓથી અળગા રહેનારા એ સાધુપુરુષો જે આત્તર પ્રશમસુખ અનુભવે છે, ચક્રવર્તી કે દેવેન્દ્ર પણ એ સુખના આસ્વાદ માણી શકતા નથી. જે કોઈ માનવીને પ્રશમસુખનો અનુભવ કરવો હોય તે સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત બનવું જ પડે. કોઈ સૂક્ષ્મ પણ પ્રવૃત્તિ ન જોઈએ. મનથી એના વિચાર નહીં કરવાના, વાણીથી એ અંગે કંઈ બોલવાનું નહીં અને કાયાથી એ વિષયમાં કોઈ વ્યવહાર કરવાનો નહીં, એનું મન ડૂબેલું હોય પ્રશમના સુખમાં! એની અવિનાશી મસ્તી હોય પ્રશમસુખના સાગરમાં! વીતરાગ જેવા કહેવાતા અનુત્તર દેવલોકના દેવોને પણ જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાનું નજીકમાં લાગે છે ત્યારે, “મારે મનુષ્ય-સ્ત્રીના પેટમાં પુરાવું પડશે.’ આ કલ્પના દુઃખી કરે છે! અનુત્તર દેવોનાં પણ સુખ આ રીતે દુઃખથી કલંકિત હોય છે.....! અકલંક સુખ હોય છે માત્ર સાધુપુરુષોને! લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત એવા સાધુપુરુષોને! મનને, વાણીને અને કાયાને સદૈવ લૌકિક પ્રવૃત્તિથી મુક્ત રાખવા માટે જોઈએ વિશિષ્ટ જ્ઞાન, એ વિશિષ્ટ જ્ઞાન એટલે માત્ર શ્રુતજ્ઞાન નહીં, માત્ર શાસ્ત્રોનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન! પરિણતિજ્ઞાન! આત્માના પ્રદેશ-પ્રદેશે જ્ઞાનનાં અજવાળાં પથરાયેલાં હોય. આત્માનો એક પણ પ્રદેશ, અજ્ઞાનતાના અંધકારથી આવરાયેલો ન જોઈએ. આવા જ્ઞાની મહાત્માઓ જ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રહી, પ્રશમસુખના મહોદધિમાં મસ્તી માણતા હોય છે. જ્ઞાની સાધુપુરુષ ક્યારેય મનનાં દુઃખોથી રીબાતો ન હોય, વિકલ્પોની જાળમાં ક્યારેય ફસાતો ન હોય-રાગદ્વેષની ભડભડતી આગમાં ક્યારેય બળતો ન હોય, એનું આત્મજ્ઞાન અને સંસારની પ્રવૃત્તિઓથી મુક્ત કરાવી નિવૃત્તિની ગુફામાં લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિના સપાટ મેદાન ઉપર તો દુઃખના દાવાનળમાં જ સળગવાનું હોય છે. પ્રવૃત્તિની સાથે કોઈ પણ આકાંક્ષા જોડાયેલી રહેવાની જ. એ આકાશા...આશા.. તૃષ્ણા, અભિલાષા જ મનનાં દુઃખોની જનેતા છે, માટે પ્રશમસુખના અભિલાપી મનુષ્ય પ્રવૃત્તિથી મુક્ત થઈ, મન-વચન-કાયાને આત્મજ્ઞાન-અધ્યાત્મ જ્ઞાનના સહારે નિવૃત્તિની ગુફામાં પહોંચી જવું જોઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy