________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવા સાધુ સ્વસ્થ રહે? संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः ।
जितरोषलोभमदनः सुखमास्ते निचरसाधुः ।।१२९ । । ગર્ચ : લોકની સ્વિજન પરિજનની ચિંતા છોડીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહેનાર, રાગ-દ્વેષ તથા કામને જીતનાર અને તેથી નીરોગી બનેલો સાધુ સ્વસ્થ રહે છે. ઉિપદ્રવરહિત જીવે છે.'
વિવેચન : જે આત્મસાધક સ્વજન-પરિજનોની ચિંતા છોડી દે છે, અને આત્મચિંતનમાં અભિરત રહે છે તે જ આત્મસાધક સ્વસ્થ રહે છે. જે સ્વજનપરિજનોનો ત્યાગ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધવા મહાનું ચારિત્રધર્મના માર્ગે ચાલી નીકળ્યો છે તેણે પોતાનાં એ સ્વજન અને પરિજનોનાં દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજનોની સ્મૃતિ પણ ન કરવી જોઈએ.
મારા માતા-પિતા વગેરે નિધન થઈ ગયા છે...દરિદ્રતાએ એમને ભરડો દીધો છે.....એમનું શું થતું હશે? મારાં એ સ્વજનો રોગગ્રસ્ત થઈ ગયાં છે. આષધોપચાર કરાવવાની તેમની શક્તિ નથી.... શું થશે એમનું? મારા એ મિત્રો આર્થિક સંકટમાં ફસાયા છે.....સાથે સાથે રાજ્યના અપરાધી બન્યા છે....શું થશે એમનું?” આવી ચિંતાઓથી સાધકે મુક્ત રહેવું જોઈએ.
મારાં એ સ્વજનો કોઈ પુણ્યકાર્ય કરતા નથી.... નથી દાન દેતા, નથી તપ કરતા નથી પરમાર્થ-પરોપકારનાં કાર્યો કરતા
એમનું ભવાંતરમાં? શું તેમની દુર્ગતિ થશે? નરકમાં જશે?' આવી ચિંતા પણ સાધકે નથી કરવાની, એણે એ સ્વજન-પરિજનોને ભૂલી જવાનાં છે. મનને આ બધી વ્યર્થ ચિંતાઓથી મુક્ત રાખવાનું છે.
પરંતુ આવી પરિચિંતા કરવાની ટેવ આજકાલની નથી, અનાદિકાલીન છે. અનાદિકાલીન કુટેવોથી મુક્ત બનવાનો પ્રયત્ન કેવો પ્રબળ જોઈએ? એ પ્રયત્નમાં કેવું સાતત્ય જોઈએ? પ્રબળ અને સતત પ્રયત્નથી જ એ કુટેવોથી માનવી છૂટી શકે. તે પ્રયત્ન છે આત્મચિંતનનો આત્મવિષયક ચિંતનમાં મનને ઓતપ્રોત કરી દેવાનું.
આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા મારા આત્માએ કેવાં દારુણ શારીરિક અને માનસિક દુ:ખો અનુભવ્યાં છે? વૈષયિક સુખોમાં નિરંતર રાચતો જીવાત્મા ક્યારેય તૃપ્ત થયો નહીં, સદાનો અતૃપ્ત ને અતૃપ્ત....ક્યારેય એ
For Private And Personal Use Only