________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦.
પ્રશમરતિ ૭. સર્વ ભયો પર વિજય મેળવે છે, ૮. નિન્દા-તિરસ્કારમાં સ્વસ્થ રહે છે, તે મહાત્મા જે અપૂર્વ સુખની અનુભૂતિ કરે છે, તે અનુભૂતિ રાગની પ્રચંડ આગમાં સળગતો જીવાત્મા કેવી રીતે કરી શકે? ન જ કરી શકે.
કહો, આ અપૂર્વ સુખ અનુભવવાનો રાજમાર્ગ છે! ચાલવું છે. આ માર્ગ? આ નહીં અનુભવેલા સુખનું આકર્ષણ જાગે છે હૃદયમાં? જો આકર્ષણ જાગી જાય તો આ માર્ગે પ્રયાણ થઈ જાય. આ માર્ગે ચાલવાની શક્તિ પણ આત્મામાં પ્રગટી જાય.
“મારે હવે રાગજન્ય સુખો નથી જોઈતાં, આ સ્પષ્ટ નિર્ણય આત્મસાક્ષીએ થઈ જવો જોઈએ. “મારે હવે આત્માનું સ્વાધીન સુખ મેળવવું જ છે...” આ દૃઢ સંકલ્પ થઈ જવો જોઈએ. આ સંકલ્પબળને સજીવન રાખીને, ઉપર બતાવેલી આઠ વાતોને સિદ્ધ કરવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ.
આવો પુરુષાર્થ માત્ર જિનશાસનના શ્રમણજીવનમાં જ શક્ય બની શકે. શ્રમણજીવન સ્વીકારવા માત્રથી આ પુરુષાર્થ પૂરો થઈ નથી જતો, પુરુષાર્થનો પ્રારંભ થાય છે! પ્રારંભેલા પુરુષાર્થની પૂર્ણાહુતિ ભલે આ જીવનના અંતે ન થાય, એ માટે ભલે પાંચ-દસ જીવન પૂરાં થઈ જાય, પરન્તુ સફળતા મળવી જોઈએ. અપૂર્વ...અદ્ભુત પ્રશમસુખની શાશ્વતું સરવાણી ફૂટવી જોઈએ.
વૈષયિક. ભૌતિક...દૈવિક સુખોની અભિલાષાને નિર્મળ કરીને આત્માના શાશ્વતું અને સ્વાધીન સુખની પરિશોધ આરંભી દઈ આ માનવજીવનની શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી લઈએ.
- પરમ સુખી પ્રશાખાભા सम्यग्दृष्टिानी ध्यानतपोवलयुतोऽप्यनुपशान्तः । तं लभते न गुण यं प्रशमगुणमुपाश्रितो लभते ।।१२७ ।। અર્થ : સમ્યગદષ્ટિ, જ્ઞાની, ધ્યાન અને તપબલથી યુક્ત (સાધકો પણ જો ઉપશાન્ત ન હોય તો તે જે ગુણ પ્રાપ્ત નથી કરતો તે ગુણ પ્રશમગુણવાળા (સાધકો મેળવે છે.
વિન : તમે મિથ્યા માન્યતાઓથી મુક્ત થયા છો? તમને સમ્યગદર્શનની આંતર-પ્રતીતિ થઈ છે? તો પછી તમે આટલા બધા અશાત્ત કેમ છો? આટલી બધી કષાય-પરવશતા કેમ છે? આટલી બધી વાસનાવિવશતા શાથી છે? શું તમે એમ સમજ્યા છો કે “અમારી પાસે સમ્યગ્દર્શન છે એટલે અમારો મોક્ષ
For Private And Personal Use Only