________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમજીવનની આચારસંહિતા विधिना भक्ष्यग्रहणं स्वीपशुपण्डकविवर्जिता शय्या।
इर्याभाषाम्वरभाजनैषणाग्रहाः शुद्धाः ।।११६ ।। અર્થ : 'આચારાંગ સુત્રના દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલિકાનાં સાત અધ્યયનનાં નામ] વિધિપૂર્વક ભિક્ષાગ્રહણ, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત ઉપાશ્રય, ઇર્ષાશુદ્ધિ, ભાષાશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, પાત્રશુદ્ધિ અને અવગ્રહશુદ્ધિ.
વિવેવન : આચારાંગ-સૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયનોમાં મોક્ષમાર્ગની અન્તર્યાત્રામાં ઉપયોગી ઘણું તત્ત્વજ્ઞાન આપવામાં આવ્યું છે, છતાં એમાં જે કંઈ કહેવાયું છે તે સંક્ષેપમાં કહેવાયું છે. કેટલીક અગત્યની વાત નથી પણ કહેવાઈ તેથી બીજા ગ્રુતસ્કંધની રચના થઈ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે વાતો કહેવાની રહી ગઈ છે તે વાત સંક્ષેપમાં કહેવાઈ છે, તેનો વિસ્તાર બીજા શ્રુતસ્કંધમાં કરવામાં આવ્યા છે, જેથી મોક્ષમાર્ગના આરાધક મનુષ્યને આરાધનામાં ઉપયોગી વિશદ અને સુસ્પષ્ટ માર્ગદર્શન મળી શકે.
બીજા ગ્રુતસ્કંધના ચાર મુખ્ય વિભાર્ગો છે. આ વિભાગને ચૂલિકા' નામથી સંબોધવામાં આવ્યા છે. દરેક ચૂલિકાનાં અવાંતર અધ્યયનો છે. તે અધ્યયનોના અવાંતર ઉદ્દેસા પ્રકરણો આપવામાં આવ્યા છે.
પહેલી ચૂલિકાનાં સાત અધ્યયન છે. એક જ કારિકામાં એ સાત અધ્યયનનાં નામોન ગ્રન્થકારે ઉલ્લેખ કર્યો છે. તે દરેક અધ્યયનમાં ક્યા ક્યા વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવામાં આવે
૧, પિંડ-એષણા: સાધુઓએ અને સાધ્વીઓએ જે ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે તે ભિક્ષા ઉગ્ય ઉપાયામ-ઉત્પાદન અને એષણાના ૪૨ દોષોથી રહિત ગ્રહણ કરવાની હોય છે. આ ભિક્ષાના વિષયને વિસ્તારથી આ અધ્યયનમાં ચર્ચવામાં આવ્યો છે.
૨. શય્યા-એષણા : શય્યા એટલે પ્રતિશ્રય કે ઉપાશ્રય. સાધુ-સાધ્વીઓએ કેવા સ્થાનમાં રહેવું જોઈએ અને કેવા સ્થાનમાં ન રહેવું જોઈએ, જે સ્થાનમાં રહેવાનું હોય ત્યાં કેવી રીતે રહેવું જોઈએ, તેની વિસ્તૃત ચર્ચા આ અધ્યયનમાં કરવામાં આવી છે. મૂળગુણશુદ્ધ અને ઉત્તરગુણશુદ્ધ એવા મકાનમાં રહેવાનું વિધાન કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only