________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
પ્રશમરતિ આ મહાપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા અધ્યયન આજે આચારાંગ સુત્રમાં નથી મળતાં. એ ક્યારે અને કેવી રીતે વિલુપ્ત થઈ ગયાં તે જાણી શકાયું નથી.
૮. વિમોક્ષ-યતના : સર્વત્નશવિયોો મોક્ષ' સર્વકમૉના આત્માથી વિયોગ થવો, એનું નામ મોક્ષ છે. શ્રાવકો (ગૃહસ્થો) અમુક અંશમાં જ કર્મક્ષય કરી શકે છે માટે તેઓનો વિમોક્ષ કહેવાય. સાધુપરસ્પો સર્વકર્મનો ક્ષય કરી શકે છે માટે તેઓનો સર્વવિમોક્ષ' કહેવાય. આ મોક્ષનું વિસ્તારથી વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ માસવર્ણન ત્રણ પ્રકારનાં અનશનોના વર્ણન સાથે કરાયેલું છે. ૧. ભક્તપ્રત્યાખ્યાન, ૨, ઇંગિની, અને ૩. પાદપાપગમન. સ્વેચ્છાએ સમાધિપૂર્વક સ્વીકારવામાં આવતાં આ ત્રણ મરણ છે. ( ૯. ઉપધાનશ્રુત : શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પોતે કરેલી તપશ્ચર્યાનું વર્ણન આ અધ્યયનમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. ભગવાન ઉમાસ્વાતિજીએ આ અધ્યયનને તપોવિધિ’ કહેલું છે. સાથે સાથે બ્રહ્મચર્યનો નિર્દેશ ‘યોપિતત્યાગના નામે કરવામાં આવ્યો છે.
આ “આચારાંગ' સૂત્ર ઉપર ચાંદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃત ભાષામાં નિયુક્તિની (ગાથાબદ્ધ ) રચના કરી છે. તેઓએ મૂળ સુત્રોની વિશદ છણાવટ કરવા સાથે અવાંતર અનેક વિષયો આપીને આચારના વિષયને વધુ વ્યાપક બનાવ્યો છે.
આચારનાં સૂત્રો અને નિર્યુક્તિની ગાથાઓ ઉપર મહાન પ્રજ્ઞાવંત આચાર્ય શ્રી શીલાંકરાચાર્ય ટીકા (સંસ્કૃત) ની રચના કરીને ગંભીર વિષયને સુબોધ અને રસમય બનાવ્યો છે. પારિભાષિક શબ્દોની સરળ પરિભાષા, આત્મા, કર્મ વગેરે પરોક્ષ વિષયોનું તલસ્પર્શી સ્પષ્ટ વિવેચન અને ગણપરાની ગહન વાણીમાંથી તારવેલાં તાત્પર્યો....આ બધું ખરેખર ચિત્તને આનંદથી ભરી દે તેવું આહલાદક છે.
આચારાંગ”નું અધ્યયન-ચિંતન-મનન આ નિયુક્તિ અને ટીકાના સહારે જ સરળ બન્યું છે... બાકી તો ગણધરથી સુધર્માસ્વામીએ આપેલી સૂત્રાત્મક વાણી તો મારા જેવા અલ્પજ્ઞ અને મંદબુદ્ધિ માનવો માટે દુધ જ રહે.
હવે ગ્રન્થકાર આચારાંગના બીજા શ્રુતસ્કંધની વિષયસૂચિ આપે છે.
For Private And Personal Use Only