________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
આચારાંગ-રૂપરેખા . ચારિત્ર ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર ૪. સુક્ષ્મસંપરા ચારિત્ર, અને ૫. યથાખ્યાત ચારિત્ર. આ પાંચેય ચારિત્રમાં સમિતિ અને ગુપ્તિનું પાલન અનિવાર્ય હોય છે, માટે તે સમિતિ-ગુપ્તિના પાલનને ચારિત્રાચાર કહેવામાં આવ્યું છે.
ચોથો આચાર છે તપાચાર. તપાચારના બાર પ્રકાર છે : છ પ્રકારનો બાહ્ય તપ અને છ પ્રકારનો આભ્યતર તપ. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ. રસત્યાગ, કાયફલેશ, અને સંલીનતા, આ બાહ્ય તપાચાર છે. પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ અને સ્વાધ્યાય, આ આત્યંતર તમાચાર છે.
પાંચમો આચાર છે વીર્યાચાર, વીર્ય એટલે આત્મશક્તિ, ઉપર બતાવેલા ચાર આચારોના પાલનમાં આત્મશક્તિનો ઉપયોગ કરવો તે વીર્યાચાર છે. અપ્રમત્ત બનીને દર્શનાચાર વગેરે ચાર આચારોના પાલનમાં તત્પર બનવું જોઈએ.
આ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન જે આચારાંગ સૂત્રમાં આપવામાં આવેલું છે, તે આચારાંગ સૂત્રનું અધ્યયન વિધિપૂર્વક કરવું જોઈએ, એટલે કે ‘યોગોઠવહન'ની ક્રિયાઓ અને તપશ્ચર્યા સાથે અધ્યયન કરવું જોઈએ.
જે સ્થાનમાં રહીને અધ્યયન કરવાનું હોય તે સ્થાન શુદ્ધ જઈએ. જે કાળમાં દિવસે અને રાત્રે) અધ્યયન કરવાનું હોય, એ કાળ શુદ્ધ જોઈએ. કાળશુદ્ધિ જાણવા માટે “કાલગ્રહણ'ની ક્રિયાઓ કરવાની હોય છે. કાળશુદ્ધિનું પ્રવેદન કરવાની ક્રિયા કરવાની હોય છે. આ રીતે કરેલું આચારાંગનું અધ્યયન મુનિના આત્મભાવને વિશુદ્ધ કરે છે. મુનિના આત્મામાં જ્ઞાન પરિણમે છે. આત્મપરિણતિરૂપ બનેલું જ્ઞાન મોક્ષમાર્ગ પ્રકાશક જ્ઞાન બને છે, આત્મા ઉપર લાગેલાં કર્મોનું વિનાશક બને છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિની ઉપેક્ષા કરીને કરેલું ધર્મગ્રન્થોનું અધ્યયન આત્મશુદ્ધિમાં ઉપયોગી નથી બની શકતું.
આયાણગ-રૂપરેખા षड्जीवकाययतना लौकिकसन्तान-गौरव-त्यागः । शीतोष्णादिपरीपहविजयः सम्यक्त्वमविकम्प्यम् ।।११४।।
संसारादुद्वेगः क्षपणोपायश्च कर्मणां निपुणः ।
वैयावृत्योद्योगः तपोविधिोषितां त्यागः ।।११५।। અર્થ : છ ઇવકાયની રક્ષા, કટુંબીજનોના મમત્વનો ત્યાગ, શીત-ઉષ્ણ વગેરે ૧૮. બાર પ્રકારના તપનું વિવેચન : કારિકા ૧૭૫-૧૭૬ માં વાંચો.
For Private And Personal Use Only