________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
પ્રશમરતિ કરે છે. તીર્થકર ભગવંતની આ વાણીને તેના પ્રમુખ શિષ્યો સૂત્રબદ્ધ કરી લે છે. એ સૂત્રો એટલે આચારાંગ સૂત્ર!
“આચારાંગ' એ દ્વાદશાંગીનું પ્રથમ અંગ છે. તેમાં પાંચ પ્રકારના આચારોનું વિશદ અને વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. અહીં સંક્ષેપમાં આપણે એ પાંચ આચારોને જાણીશું. આ પંચાચારને પ્રસ્તુતમાં “સાધ્વાચાર' કહેલા છે. એટલે કે સાધુજીવનમાં આચરવાના આ પાંચ આચારો છે,
પહેલો આચાર છે સમ્યત્વાચાર. સમ્પર્વને “દર્શન પણ કહેવામાં આવે છે, એટલે સમ્યવાચારને દર્શનાચાર પણ કહી શકાય. સમ્યગદર્શન એટલે જિનવચન ઉપર નિઃશંક શ્રદ્ધા, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના ઉપદશ-વચનો ઉપર, તેઓએ આપેલા તત્ત્વજ્ઞાન ઉપર કોઈ શંકા નહીં કરવાની. એ વચનો સિવાય કોઈપણ રાગ-દ્વેષી માનવોનાં કે દેવનાં વચના તરફ આકર્ષાવાનું નહીં. જિનવચનોની સત્યતાને સમગ્રતયા સ્વીકાર કરવાનાં.
અલબત્ત, એ જિનવચનોની યથાર્થતાને સમજવા માટે જિજ્ઞાસા પ્રગટી શકે. એ જિજ્ઞાસાને સંતોષવા જ્ઞાની પુરુષોને પ્રશ્ન પણ પૂછી શકાય. મનમાં ઊઠતા પ્રશ્નોનું સમાધાન કરી જિનવચનોન સ્મૃતિની તિજોરીમાં સંગ્રહી રાખવાનાં. એ જિનવચનોના અર્થને, મર્મને, તાત્પર્યને આપણા વિચારો સાથે એકમેક કરી દેવાના!
બીજો આચાર છે જ્ઞાનાચાર. દર્શનાચારથી બુદ્ધિ જ્યારે પવિત્ર બને છે, ત્યારે તે મતિ-જ્ઞાનાચાર બને છે. દર્શનાચારથી શાસ્ત્રજ્ઞાન જ્યારે સાચી સમજણરૂપ બને છે, ત્યારે તે શ્રુત-જ્ઞાનાચાર બને છે. દર્શનાચારના શુદ્ધ પાલનથી આત્મભાવ જ્યારે નિર્મળ બને અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ થાય છે, ત્યારે અવધિજ્ઞાનાચાર જન્મે છે. મન:પર્યવજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય છે ત્યારે મન:પર્યવજ્ઞાનાચાર બને છે. કેવળજ્ઞાનાવરણકર્મનો ક્ષય થાય છે, ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે અને તે જ કેવળજ્ઞાનાચાર કહેવાય છે!
ત્રીજો આચાર છે ચારિત્રાચાર, આઠ પ્રકારનાં કમાંના ચયને-સમૂહને રિક્ત કરે તે ચારિત્ર કહેવાય! પાંચ સમિતિ ઇિર્ષા સમિતિ, ભાષાસમિતિ, અપણાસમિતિ, આદાનભંડમનિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિક સમિતિ અને ત્રણ ગુપ્તિ મિનો ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ રૂપ આ ચારિત્રાચાર છે. ચારિત્ર પાંચ પ્રકારનાં બતાવવામાં આવેલાં છે : ૧. સામાયિક ચારિત્ર. ૨. છેદો સ્થાપનીય ૧૩. પાંચ જ્ઞાનનું સ્વરૂપ: જુઓ પરિશિષ્ટમાં ૧૩. પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ : જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only