________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાચાર,
૧૯૧ કેવો અનર્થકારી વિપર્યાસ થઈ ગયો છે આત્માને! આત્માનો આ વિપર્યાસ દૂર કરવો અનિવાર્ય છે. વિપર્યાસ દૂર થશે ત્યારે જ એ વસ્તુતત્ત્વનું યથાર્થદર્શન કરી શકશે; ત્યારે જ એ હેયનો-ત્યાજ્યનો ત્યાગ કરશે અને ઉપાદેયનોસ્વીકાર્યને સ્વીકાર કરશે. દષ્ટિનો આ “વિપર્યાસ-દોષ” ગંભીર રોગ છે. કેન્સરના રોગ કરતાં પણ વધુ ખતરનાક રોગ છે. કેન્સર તો એક જીવનને ભરખી લે છે, જ્યારે આ વિપર્યાસ-રોગ અસંખ્ય જીવનની પરંપરાને ભરખી જાય છે.
હા, આ રોગનિવારણનું આપધ નથી એમ ન માનતા, ઔષધ છે! ગ્રન્થકાર મહર્ષિએ એ આંધ બતાવ્યું છે એક ધર્મગ્રન્થનું! એક ધર્મગ્રન્થના અધ્યયનચિંતન અને પરિશીલનને ઔષધરૂપે બતાવ્યું છે! એ ગ્રન્થ છે “આચારાંગસૂત્ર.”
જૈનશાસનની સ્થાપનાના પાયામાં રહેલું આ “આચાર' સૂત્રનું જ્ઞાન છે. તીર્થકર ભગવંત પાસેથી પુષ્પન્ને વા, વિખેરું વા, ઘુવે વ આ ત્રિપદીનું શ્રવણ કરીને, ગગધરો જે ‘દ્વાદશાંગી'ની રચના કરે છે, તે ‘દ્વાદશાંગી”નાં બાર શાસ્ત્રોમાં સર્વપ્રથમ શાસ્ત્ર હોય છે “આચાર! હા, દરેક તીર્થકરની, ધર્મતીર્થની સ્થાપનામાં, દરેક ગણધર સર્વપ્રથમ આ “આચાર” શાસ્ત્રની જ ૨ચના કરતા હોય છે... આ શાશ્વત્ નિયમ છે.
વિષયરસના મદિરાપાનથી બેહોશ..... મતિ બની ગયેલા આત્માને હોશમાં લાવવા માટે આ “આચાર” ગ્રન્થનું તત્ત્વરસાયણ ખવડાવવું પડશે......ગ્રન્થનું તત્ત્વામૃત પિવડાવવું પડશે....સમજાવીને, પટાવીને પિવડાવવું પડશે...... તો જ “વિપર્યાસ'નો રોગ નિર્મળ થશે. એની દષ્ટિમાં પુનઃ જ્ઞાનજ્યોતિ પ્રગટશે.
આ જીવનમાં બસ આ એક કામ કરી લઈએ-આત્મરક્ષાનું! આત્માને લાગુ પડેલા “વિપર્યાસ' રોગને નિર્મળ કરવાનું!
પંચાયા?
सम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिन: प्रोक्तः । पञ्चविधोऽयं विधिवत् साध्वाचारः समनुगम्य: ।।११३।। અર્થ : તીર્થકરોએ સમ્યકૃત્વાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ પ્રકારના સાધ્વાચાર (આચારાંગના અથી) કહેલો છે તેન વિધિપૂર્વક જાણવા જાઈએ.
વિવેચન : જ્યારે તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે, ત્યારે સર્વપ્રથમ તેઓ આચારમાર્ગનો ઉપદેશ આપે છે, અર્થાતુ પાંચ પ્રકારના આચારોનું વર્ણન
For Private And Personal Use Only