________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ બસની રાહ જોતી બસસ્ટેન્ડ ઉપર ઊભી હોય.... ત્યાં એક ગાડી આવીને ઊભી રહે, ગાડીમાં બેઠેલો સજ્જનનાં વસ્ત્રોમાં સજજ પુરુષ આદરપૂર્વક એ
સ્ત્રીને કહે : “કહો બહેન, ક્યાં જવું છે તમારે ? આવો, બેસી જાઓ ગાડીમાં, તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દઈશ....'
પુરુષનાં સુંદર કપડાં, સફાઈદાર ભાષા અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર જોઈને એ ભોળી સ્ત્રી ભોળવાઈ જાય અને ગાડીમાં બેસી જાય તો શું થાય? એના દાગીના તો જાય જ, એના પ્રાણ કે એનું શીલની પણ સલામતી ન રહે! આજે ઘણાં શહેરોમાં આવી દુર્ઘટનાઓ બનતી આપણે સાંભળીએ છીએ.
માત્ર ઉપરનો સારો દેખાવ, કે થોડી ક્ષણનું સુખ, એનાથી જો લાભાઈ ગયા તો ફસાઈ ગયા સમજો. માટે ટૂંકી દૃષ્ટિથી ન વિચારો, દીર્ઘદ્રષ્ટિથી વિચારો. ભવિષ્યનો વિચાર કરો. વિષયસેવનથી ક્ષણિક સુખનો.... થોડી જ ક્ષણોના સુખનો અનુભવ થાય છે, પરંતુ એ ક્ષણોમાં તીવ્ર રાગથી જે પાપકર્મો બંધાય છે, તેનો ગંભીરતાથી વિચાર કરો. એટલા માટે “વિષયભોગ વિભક્ષણથી પણ વધુ ભયંકર છે,' એમ તીર્થકર ભગવંતોએ કહ્યું છે.
સુખનો તીવ્રરાગી જીવાત્મા સુખના સમયનો કે સુખની જાતનો વિચાર નથી કરી શકતો. જે સુખની એને તીવ્ર ભૂખ લાગી, તે સુખ ભલે ક્ષણિક હોય તો ક્ષણિક, તે ભોગવી લેવાનો! તે સુખ હલકી જાતનું હોય તો ભલે હલકી જાતનું, તે ભોગવી લેવાનો! મગધસમ્રાટ શ્રેણિક દુર્ગધા પર મોહિત નહોતા થઈ ગયા? દુર્ગધા સાથે સંભોગ નહોતો કર્યો? સુખની તીવ્ર ભૂખ વિષયસુખની ક્ષણિકતાનો વિચાર નથી કરવા દેતી.
વિષયો વિષસમાં.....! यद्वच्छाकाष्टादशमन्त्रं वहुभक्ष्यपेयवत् स्वादुः। विषसंयुक्तं भुक्तं विपाककाले विनाशयति ।।१०८ ।।
तद्वदुपचारसंभृतरम्यकरागरससेविता विषयाः । भवशतपरम्परास्वपि दुःखविपाकानुबन्धकरा: ।।१०९।। અર્થ : જેવી રીતે અઢાર પ્રકારનાં શાક અને ઘણી ખાવા યોગ્ય તથા પીવા યોગ્ય સ્વાદિષ્ટ વસ્તુઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન જ ઝરવાળું હોય તો એ ખાવાથી અંત મારે છે, તેવી રીતે ખુશામત તથા વિનય વગેરેથી વધેલી સુંદરતાથી અને ખૂબ રાગથી સંવેલા વિષયો સંકડા ભવાની પરમ્પરામાં પણ દુઃખભોગની પરમ્પરા કરનારા છે.
For Private And Personal Use Only