________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયો વિશ્વસમા
૧૮૩
વિવેપન : તમને અત્યંત પ્રિય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન આપવામાં આવ્યું છે, તમે અત્યંત ક્ષુધાતુર પણ છો, ભોજનનો થાળ સામે છે, શ્રેષ્ઠ મીઠાઇ, પ્રિય વ્યંજનો, સ્વાદિષ્ટ ફરસાણ, મધુર સરબત.....બધું સામે છે, પીરસનાર પ્રેમથી અને આગ્રહથી ભોજન પીરસે છે, તમે ખાવાની તૈયારી કરો છો, ત્યાં તમારો વિશ્વાસપાત્ર અને નિકટનો મિત્ર દોડતો...હાંફતો તમારી પાસે આવે છે.....અને તમને કોળિયો મોંમાં નહીં મૂકવાનો ઇશારો કરી, તમને બહાર બોલાવે છે અને કાનમાં કહે છે : ‘આ ભોજનનો એક કણ મોઢામાં ન નાંખીશ, દગો થયો છે.....આ ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું છે.....' આટલું કહીને તે ઝડપથી ચાલ્યો જાય છે.
કહો, તમે શું કરશો? એ પ્રિય, સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ ભોજન તમે કરશો? એ ભોજન ઉપર તમારો રાગ ટકશે? ના, હવે એ ભોજનમાં તમને ઝેર જ ઝેર દેખાશે, ચામડાની આંખોથી નહીં, મનની આંખોથી ઝેર દેખાશે. ભોજનના પદાર્થોમાં એકમેક થઈને ભળી ગયેલા ઝેરને ચર્મચક્ષુ જોઈ શકતી નથી, મનની આંખો....જ્ઞાનની આંખો જોઈ શકે છે! એ ભોજ્ય પદાર્થોમાં મોતનાં દર્શન થાય છે.....શરીર ધ્રૂજી ઊઠે છે, શરીરે પસીનો થઈ આવે છે....આંખોમાં ભય તરી આવે છે.....તમે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના એ ભોજનનો ત્યાગ કરી દેવાના.
‘મને ઝેર દેખાતું નથી....આ તો મારા સ્વજનો છું, તેઓ દગો કરે નહીં...આટલી બહુમૂલ્ય સામગ્રી ફેંકી કેમ દેવાય?.....આ તો કોઈએ ઝેરની ખોટી શંકા કરી હશે....' આવા-આવા તર્ક-કુતર્ક તમે કરો ખરા? ‘આમાં ઝેર છે કે કેમ?' એ જાણવા થોડું ખાવાનો પ્રયોગ કરો ખરા? જરાય નહીં, એ પદાર્થોને સ્પર્શ પણ નહીં કર્યો!
વૈયિક સુખો પણ આવાં છે, ઝેરમિશ્રિત ભોજન જેવાં! એમાંય સ્ત્રીપુરુષનું સંભોગસુખ તો હલાહલ ઝેર સાથે ઘોળાયેલું સુખ છે.
માનો કે કોઈ રૂપસુંદરી પ્રત્યે તમારા મનમાં અનુરાગ જન્મ્યો. એ રૂપસુંદરીને પણ તમારા પ્રત્યે અનુરાગ જન્મે, એમ તમે ઇચ્છો છો. એને અનુરાગી બનાવવા તમે અનેક પ્રયત્ન કરો છો....ક્યારેક કોઈ ઉદ્યાનના લતામંડપમાં એ મળી ગઈ કે કાશ્મીરની ટૂરમાં....શ્રીનગરની કોઈ રમણીય હોટલમાં મળી ગઈ.....તમે એને મનાવી લેવા એની આદરપૂર્વક ખુશામત કરવા માંડી, એનો પડ્યો બોલ ઉપાડી લેવા તત્પર બન્યા....એનું એકાદ મીઠું સ્મિત....અના એકાદ બોલનો ટહુકો મેળવવા તમે તલપાપડ બન્યા, અને ચાર-પાંચ દિવસની
For Private And Personal Use Only