SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ વિચારધારા વહેતી રહો. ૧૭૭ આ બંને કામની સફળતા માટે ઉપાય બતાવી દીધો : શુભ વિચારોની અવિરત ધારા! પવિત્ર વિચારોનું સાતત્ય! પરંતુ, શુભ વિચારો સતત નથી ટકતા... તે ટકાવવા શું કરીએ આ મૂંઝવણનો ઉકેલ હવેના શ્લોકમાં ગ્રંથકાર આપે છે. तत्कथमनिष्टविषयाभिकाक्षिणा भोगिना वियोगो वै। सुव्याकुलहृदयेनापि निश्चयेनागमः कार्यः ।।१०५ । । અર્થ : અનિષ્ટ વિષયોની આકાંક્ષાવાળા (તેથી) અત્યંત વ્યાકુલ હૃદયવાળા ભોગાસક્ત જીવાત્માનો (વિપયાથી) કેવી રીતે વિયોગ થાય? નિશ્ચયથી (આ વિષયો આ લોકમાં અને પરલોકમાં નુકસાન કરનારા છે, એમ જાણીને) આગમનો (જિન-પ્રણીત શાસ્ત્રોનો) અભ્યાસ કરવો જોઈએ. વિવેદન : વિષસમા વિષયોની તીવ્ર સ્પૃહા, અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિની સ્પૃહા, પ્રાપ્ત વિષયોના સંરક્ષણની તત્પરતા અને વિષયોના ઉપભોગની સતત વાસના..... તમારા મનને-હૃદયને વ્યાકુળ બનાવે ! હૃદયને વ્યાકુળ..... વિદ્વળ અને સંતપ્ત બનાવે તે વિષયોને ઇષ્ટ કેમ કહેવાય? એવા અનિષ્ટ વિષયોના સંપર્કમાં હૃદય સતત વ્યાકુળતા અનુભવે છે, છતાં તમે એનો સંયોગ ઇચ્છો છો? એ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોની અભિલાષાઓએ તમારા પવિત્ર હૃદયમંદિરને કેવું ગંદુ, કેવું જુગુપ્સનીય કરી નાંખ્યું છે, એ તો જુઓ. પણ તમે કેવી રીતે જોઈ શકો તમારા હૃદયમંદિરને? તમે અત્યન્ત ભોગાસન બન્યા છો. ભોગાસક્તિએ તમને અશક્ત બનાવી દીધા છે. તમારું મન સારાસારનો, ઇષ્ટાનિષ્ટનો વિચાર કરવામાં અશક્ત બની ગયું છે. ચિંતન-મનનની શક્તિ તમે ગુમાવી દીધી છે. વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. તે છતાંય, જે સવિચારોનું એકાદ કિરણ તમને મળી ગયું છે, તમારા મનમાં આટલો પણ વિચાર ઉદ્દભવ્યો છે કે : “મારું હૃદય ઇંદ્રિયોના વિષયમાં અત્યન્ત ભોગાસક્ત છે, હું કેવી રીતે એ વિષયોનો ત્યાગ કરું ? એ વિષયોથી હું કેવી રીતે અલિપ્ત રહી શકું?' ચિંતા ન કરો, તમારું આંતરમન એ વિષયોના વળગાડથી છૂટવા ઝંખે છે ને? તમારી આંતરચેતના એ વિષયોની વિષમતા સમજી ગઈ છે ને? તો તમે મુક્ત થઈ શકશો એ વળગાડથી મન, વચન અને કાયાથી તમે મુક્ત થઈ શકશો! જરાય ચિંતા ન કરો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy