________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૭
જ્ઞાન મળે જ નહીં. સાવ અજ્ઞાનતામાં સબડ્યા કરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કોઈ ડરાવવાની વાતો નથી. શંકા વિનાની વાતો છે, સર્વજ્ઞ પરમાત્માની પૂર્ણ જ્ઞાનદૃષ્ટિમાં આ કાર્ય-કારણભાવ જોવાયેલો છે. જે વાતનું તમે અભિમાન કરો એ વાત તમારી પાસે ન રહે! માટે અભિમાન કરવાની ના પાડે છે જ્ઞાનીપુરુષો. ખૂબ કરુણાભર્યા હ્રદયે અભિમાનનાં ત્યાગ કરવાની અપીલ કરે છે.
ન્
પ્રશમરતિ
તમારી પાસે વર્તમાન જીવનમાં ઉચ્ચકોટિનાં જાતિ, કુળ, રૂપ વગેરે છે, તમે જો એનાં અભિમાન નથી કરતા, વિનમ્ર બન્યા રહો છો, તો પરલોકમાંજન્માંત૨માં તમને આનાથી પણ ઉત્તમકોટિનાં જાતિ, કુળ, રૂપ વગેરે મળવાનાં, એમ ઉત્તરોત્તર તમને ચઢિયાતાં સુખનાં સાધનો મળતાં જવાનાં છેવટે તમે અરૂપી, અનામી અને અજર-અમર બની જવાના.
તો પછી, આલોક અને પરલોકમાં અનર્થોની હારમાળા સર્જનારા અભિમાનને જીવનમાં શા માટે સ્થાન આપવું જોઈએ? દુઃખના દાવાનળ સળગાવનારા ગર્વને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેવા જોઈએ. આત્મગુણોનો સર્વનાશ કરનારા જાતિ વગેરેનો મદનો પડછાયો પણ આપણા ઉપર ન પડી જાય, એની તકેદારી રાખીને જીવન જીવવું જોઈએ. ગમે તેવાં ઉચ્ચકોટિનાં જાતિ, ફળ, રૂપ વગેરે મળે, એના ઉપર ક્યારેય ગર્વ નહીં કરવાનો તે નહીં જ કરવાનો.
મત્યાગના ઉપાય
सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्पः परपरिवादश्च सन्त्याज्यः ।।११।।
અર્થ : સર્વ મદસ્થાનોના (ગર્વ) નાં મુવિનાશ ઇચ્છતા સાધુએ સદૈવ પોતાના ગુણોથી ગર્વ ન કરવો જોઈએ, અને બીજાઓનો અવર્ણવાદ ત્યજવો જોઈએ ૯૯
વિવેષન : કાઁ, આત્માની આવી ભયંકર ખાનાખરાબી કરનારા મેદાનોનો તમારે નાશ કરવો છે? તો એના મૂળનો નાશ કરવાં પડશે. સર્વ મદસ્થાનોનું મૂળ છે માનકપાય. માનકપાયનું મૂળ છે રૂં' ની ફલ્પના. તમારે 'ઊ' ને ભૂલવો પડશે. ‘હું કંઈક છું.' આ વિચારને ફેંકી દેવો પડશે. 'દ’ ની જાગૃતિ મનુષ્યમાં બે ખરાબી પેદા કરે છે : ૧. પોતાના ગુણોનો ગર્વ, અને ૨. બીજા જીવોનો અવર્ણવાદ.
For Private And Personal Use Only
તમારે મદસ્થાનોનો નાશ કરવા છે તો તમે તમારા ગુણોની પ્રશંસા ન કરો. ‘મારું રૂપ અદ્ભુત.....મારા જેવું રૂપ કોઇનું નહીં! મારું બળ અપરાજય.....મારા