________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પ્રશમરતિ સિંહનું રૂપ કર્યું. આ યક્ષા વગેરે ગુરુદેવ ભદ્રબાહુસ્વામીને વંદના કરીને
જ્યારે ભાઈ-મુનિવરને વંદન કરવા આવે છે ત્યારે ત્યાં સિંહને બેઠેલો જોઈ ચમકી જાય છે અને ભદ્રબાહુસ્વામી પાસે આવીને કહે છે : “ગુરુદેવ, ત્યાં તો ભાઈ મુનિવરના સ્થાને સિંહ બેઠેલાં છે!' ગુરુદેવ પોતાનો જ્ઞાનોપયોગ મૂકીને જોયું... અહો! આ તો સ્થૂલભદ્ર પોતાની વૈક્રિય-લબ્ધિ વિફર્યા છે..... બહેનોની આગળ પોતાની જ્ઞાનશક્તિનું પ્રદર્શન કરવા!” તેઓએ સાધ્વીઓને કહ્યું : ‘જાઓ, હવૈ ત્યાં તમને તમારા ભાઈ-મુનિવરનાં
દર્શન થશે.' સાધ્વીઓ ત્યાં જાય છે અને ભાઈ-મુનિવરનાં દર્શન કરી પ્રસન્ન થાય છે....ભાઈ મુનિરાજના જ્ઞાનાતિશય પર ઓવારી જાય છે...પરંતુ ગુદેવ ભદ્રબાહુસ્વામીની જ્ઞાનદૃષ્ટિમાં સ્થૂલભદ્ર મુનિ “અપાત્ર બને છે, શેષ ચાર પૂર્વેના જ્ઞાનની પ્રાપ્તિ માટે,
જ્યારે શ્રી સ્થૂલભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે વાચના લેવા જાય છે, ભદ્રબાહુસ્વામી ના પાડી દે છે : “હવે તમને ૧૧ થી ૧૪ પૂવૉની વાચના નહીં મળે. સ્થૂલભદ્રજી ખૂબ આજીજી કરે છે, પરંતુ ભદ્રબાહુસ્વામી સંમત થતા નથી. છેવટે શ્રાવકસંઘે ખૂબ વિનંતી કરી ત્યારે ૧૧ થી ૧૪ પૂનાં મૂળ સૂત્રો આપ્યાં, અર્થ ન આપ્યો તે ન જ આપ્યું.
એક જ વાર કરેલું લબ્ધિ-પ્રદર્શન કેટલું ખતરનાક નીવડ્યું સ્થૂલભદ્રજી જેવા ઉચ્ચકોટિના મહર્ષિને “અપાત્ર' બનાવી દીધા, તો પછી બીજાઓની તો વાત જ ક્યાં? ઉચ્ચકોટિનું શાસ્ત્રજ્ઞાન અભિમાનીને પચતું નથી, ફૂટી નીકળે છે. માટે અભિમાની શાસ્ત્રજ્ઞાન માટે અપાત્ર બને છે. ઉચ્ચકોટિના શાસ્ત્રજ્ઞાનના અર્થીએ અભિમાનથી દૂર રહેવું જોઈએ.
મહાન જ્ઞાની પુરુષોના પરિચયથી અને સતત પુરુષાર્થથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. જે શ્રુતજ્ઞાનથી “ચરણ’ અને ‘કરણ'ની આરાધના કરીને, સર્વપ્રકારના મદોને દૂર કરવાના હોય છે, તે શ્રુતજ્ઞાનને પામીને મદોન્મત્ત થવાય ખરું? પ્રકાશથી અંધકાર દૂર કરવાનો હોય, જો અંધકાર દૂર ન થતો હોય તો તેને પ્રકાશ કેમ કહેવાય? જે જ્ઞાનથી અજ્ઞાન દૂર ન થતું હોય તેને સમ્યગુજ્ઞાન કેમ કહેવાય? સમ્યગુજ્ઞાનથી જીવાત્માના રાગ-દ્વેપ અને મોહ દૂર થવા જોઈએ, અભિમાનનો અંધાપી દૂર થવો જોઈએ. અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન સંસારવૃદ્ધિનો હેતુ બને છે, એ ન ભૂલશો.
૧૫. ચરણ-કરણનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં
For Private And Personal Use Only